નવી દિલ્હી: આજે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી છે. આજના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવતા ભાજપ દેશમાં 19 હજારથી વધુ સ્થાનો પર કાર્યક્રમ યોજશે. કેન્દ્રો પર એક કરોડથી વધુ ખેડૂતોને ભેગા કરવાની સાથે પાંચ કરોડ ખેડૂતો સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નો સંદેશો પહોંચાડવાની તૈયારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના 9 કરોડ ખેડૂતોને 18,000 રૂપિયા સીધા તેમના બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કરશે. રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભા સાંસદ અરુણ સિંહે પાર્ટી મુખ્યાલય પર પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે દેશના 19,000થી વધુ સ્થળોએ ભાજપ કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમોમાં દેશના એક કરોડથી વધુ ખેડૂતો પ્રત્યક્ષ રીતે ભાગ લેશે. જ્યારે 5 કરોડ ખેડૂતો પ્રધાનમંત્રી મોદીનું ભાષણ સાંભળીને લાભ ઉઠાવશે. આ કાર્યક્રમ તમામ વિકાસ ખંડો, પંચાયતો, સહકારી સંસ્થાનો અને મંડીઓ પર આયોજીત થશે. 


COVID-19 New Strain: કોરોનાના નવા સ્વરૂપની ભારતમાં એન્ટ્રી? આ રાજ્યમાં મળ્યો શંકાસ્પદ દર્દી


બપોરે 12 વાગે પીએમ મોદીનું સંબોધન
રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે જણાવ્યું કે જો ફક્ત ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 822 બ્લોક, 435 મંડળો, 10 હજારથી વધુ વસ્તીવાળી 585 ગ્રામ પંચાયતો અને 1225 સહકારી સંસ્થાઓ પર આ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યા છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube