નવી દિલ્હી: કોરોના (Corona Virus) ની રસી આવે તે પહેલા જ દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 27,071 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 98,84,100 થઈ છે. જેમાંથી 3,52,586 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 93,88,159 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. કોરોનાના કારણે એક જ દિવસમાં 336 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,43,355 પર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાને હરાવી ચૂકેલા દર્દીઓ પર હવે નવી જીવલેણ બીમારીનું જોખમ, 2 લોકોના મૃત્યુ


રશિયાની Sputnik V આટલા વર્ષ સુધી આપશે કોરોનાથી સુરક્ષા કવચ, ભારતમાં ટ્રાયલ શરૂ


રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 92.33 ટકા થયો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 55,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 861.37 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 86,69,576 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube