લખનઉ: કોરોના (Corona) મહામારીને માત આપવા માટે સમગ્ર દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. પીએમ મોદી (PM Narendra Modi) એ તાજેતરમાં આ અભિયાનને સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવ્યું હતું. પરંતુ આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં એક મોટી ગડબડી સામે આવી છે. અહીં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પહેલી હરોળના લાભાર્થીઓની જે સૂચિ બનાવવામાં આવી છે તે લિસ્ટમાં રિટાયર્ડ નર્સ, મૃતક નર્સ, અને રાજીનામું આપી  ચૂકેલી નર્સોના નામ પણ સામેલ છે. યાદી અયોધ્યાની Dufferin Hospitalના આરોગ્ય વિભાગ દ્વારા બનાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmer Protest: આ 4 દિગ્ગજ હસ્તી પર ખેડૂત આંદોલનનો ઉકેલ લાવવાની છે જવાબદારી, ખાસ જાણો તેમના વિશે વિગતવાર


કેન્દ્ર સરકાર દ્વારા પહેલા પહેલા જ નક્કી કરી લેવાયું હતું કે પહેલી હરોળના લોકોને કોરનાની રસી સૌથી પહેલી આપવામાં આવશે. આ યાદીમાં જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને સામેલ કરાયા છે. પરંતુ અયોધ્યા જિલ્લામાં લાભાર્થીઓની યાદીમાં મોટી ગડબડી જોવા મળી. અહીં મૃતક નર્સ, રિટાયર્ડ નર્સ અને રાજીનામું આપી ચૂકેલી નર્સોના નામ પણ સામેલ છે. 


Google Map પર આંધળો ભરોસો કરવો ભારે પડ્યો, એક વ્યક્તિનું મૃત્યુ, ખાસ વાંચો આંખ ઉઘાડનારો કિસ્સો


અત્રે જણાવવાનું કે આ મામલો સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જય પ્રતાપ સિંહે તપાસના આદેશ આપ્યા છે અને આવી ઘોર બેદરકારી વર્તવા બદલ કડક કાર્યવાહીની પણ ચેતવણી આપી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube