નવી દિલ્હી: નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યાં છે. આજે સાંજે 7 વાગે તેઓ શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં થનારા આ શપથગ્રહણ સમારોહમાં 5 થી 6 હજાર જેટલા ખાસ મહેમાનો સામેલ થશે. આ આયોજનને ભવ્ય બનાવવાની જગ્યાએ સાદો અને સરળ રાખવાની કોશિશ કરવામાં આવી છે. આ સમારોહમાં ભોજનની વ્યવસ્થા પણ સાધારણ રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી શપથ લે તે પહેલા તેમની પાકિસ્તાની બહેનનો આવ્યો મહત્વનો સંદેશ


ચા સાથે સમોસા અને રાજભોગ
હાઈ ટીની સાથે મહેમાનોને વેજિટેરિયન ડિશીઝ પીરસવામાં આવશે જેમાં ભારતીયોના ફેવરિટ સમોસા ઉપરાંત પનીર ટિક્કા, રાજભોગ અને લેમન ટાર્ટની પણ વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત રાતે 9 વાગે ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે જેમાં વેજિટેરિયન અને નોનવેજિટેરિન ડિશિઝ હશે. વેજિટેરિયન ડિશમાં ખાસ ડિશ હશે 'દાળ રાયસીના' જે મહેમાનોને સર્વ કરવામાં આવશે. 


રાષ્ટ્રપતિ ભવનની ખાસિયત છે દાળ રાયસીના
હકીકતમાં રાષ્ટ્રપતિ ભવનના કિચનની સ્પેશિયાલિટી છે દાળ રાયસિના જેને બનાવવામાં 48 કલાકનો સમય લાગે છે અને આ જ કારણ છે કે આ દાળને બનાવવાની તૈયારીઓ મંગળવાર રાતથી થઈ રહી છે. આ દળને બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ ખાસ કરીને લખનઉથી મંગાવવામાં આવી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...