નવી દિલ્હી: લદાખની ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક ઝડપ પર રક્ષામંત્રી રાજનાથનું પહેલું નિવેદન સામે આવ્યું છે. તેમણે શહીદ થયેલા સૈનિકો માટે દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે કહ્યું કે જવાનોની શહાદતને દેશ ક્યારેય ભૂલશે નહીં. ચીન તરફથી થયેલી હિંસામાં ભારતે પોતાના 20 જવાનો ગુમાવ્યાં છે. આ આંકડો વધી પણ શકે છે. આ હિંસામાં ચીનને પણ મોટું નુકસાન થયું છે. તેને 40થી વધુ સૈનિકોનું નુકસાન થયું હોવાનું કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજનાથ સિંહે કહ્યું કે ગલવાનમાં સૈનિકોની શહાદત ખુબ દુ:ખદ અને પરેશાન કરનારી છે. જવાનોએ બહાદુરી દાખવતા પોતાની ફરજ નિભાવી અને શહીદ થયા. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે દેશ જવાનોની શહાદતને ક્યારેય ભૂલશે નહીં અને હું શહીદોના પરિવારની સાથે છું. મુશ્કેલ સમયમાં દેશ તેમની જોડે ખભેથી ખભો મેળવીને ઊભો છે. અમને ભારતીય સૈનિકોની બહાદુરી પર ગર્વ છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube