બેંગ્લુરુ : કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકારમાં બધુ બરાબર નથી અને નજીકના ભવિષ્યમાં આ ગઠબંધન તૂટી જાય એવા સંકેત મળ્યા છે. મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ શનિવારે કહ્યું છે કે 3 સપ્ટેમ્બરે રાજ્યમાં નવા મુખ્યમંત્રી શપથ લઈ શકે છે. કુમારસ્વામીએ ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં જણાવ્યું કે '3 સપ્ટેમ્બરે નવા મુખ્યમંત્રી શપથ લેશે. હું કેટલા સમય માટે મુખ્યમંત્રી છું એ મહત્વનું નથી. મારા માટે મહત્વનું છે કે હું જેટલા દિવસ કામ કરું એટલા દિવસ મારા કામથી મારું ભવિષ્ય સુરક્ષિત કરું'


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...