નવી દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ  (CM Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ (amarinder singh) વચ્ચે વાર પલટવાર સતત ચાલુ છે. વાત જાણે એમ છે કે પંજાબના સીએમએ ખેડૂતોના પક્ષમાં કેજરીવાલના ઉપવાસને નાટક ગણાવ્યાં હતા. જેના પર દિલ્હીના મુખ્યમંત્રીએ પલટવાર કરતા સવાલ પૂછ્યો કે તમે શું ખેડૂતોના આંદોલનને વેચી દીધુ છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest LIVE: ખેડૂતોની ભૂખ હડતાળ ચાલુ, દુષ્યંત ચૌટાલાએ ગડકરી સાથે કરી મુલાકાત


કેજરીવાલનો અમરિન્દર પર પલટવાર
કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે 'કેપ્ટનજી, હું શરૂઆતથી જ ખેડૂતોની સાથે ઊભો છું. દિલ્હીના સ્ટેડિયમને જેલ ન બનવા દીધુ. કેન્દ્ર સામે લડ્યો. હું ખેડૂતોનો સેવાદાર બનીને તેમની સેવા કરું છું. તમે તો તમારા પુત્રના ED કેસને માફ કરાવવા માટે કેન્દ્ર સાથે સેટિંગ કરી લીધી, ખેડૂતોનું આંદોલન વેચી દીધુ? કેમ?'



અમરિન્દરે કેજરીવાલ પર સાધ્યું હતું નિશાન
પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે કેજરીવાલના ઉપવાસને નાટક ગણાવતા કહ્યું હતું કે 'કેજરી સરકારે 23 નવેમ્બરના રોજ કૃષિ કાયદામાંથી એકને બેશર્મીથી નોટિફાય કરીને ખેડૂતોની પીઠમાં ખંજર ભોક્યું છે અને હવે તેઓ સોમવારે ખેડૂતોની ભૂખ હડતાળના સમર્થનમાં ઉપવાસ પર બેસવાની જાહેરાત કરીને નાટક કરી રહ્યા છે.'


ખેડૂત આંદોલનનો અંત લાવવા માટે ચર્ચિત IAS અધિકારી Ashok Khemka એ જણાવ્યો આ ફોર્મ્યુલા


આજે ખેડૂતોની ભૂખ હડતાળ, કેજરીવાલના પણ એક દિવસના ઉપવાસ
ખેડૂત આંદોલન (Farmers Protest) નો આજે 19મો દિવસ છે. પરંતુ આ ડેડલોકનું કોઈ સમાધાન જોવા મળી રહ્યું નથી. દિલ્હીની સિંઘુ અને ટીકરી  બોર્ડર પર સંયુક્ત મોરચાના 40 ખેડૂત નેતાઓ ઉપવાસ પર બેઠા છે. સાંજે 5 વાગ્યા સુધી આ ભૂખ હડતાળ ચાલુ રહેશે. ગાઝીપુર સહિત તમામ ટોલ પ્લાઝા ઉપર પણ ખેડૂતો ભૂખ હડતાળ પર બેઠા છે. આ ઉપરાંત દેશભરના જિલ્લા મુખ્યાલયો ઉપર પણ ધરણા ચાલુ છે. દિલ્હી સરકારના મંત્રી અને વિધાયક પણ ધરણા પર બેઠા છે. કેજરીવાલે ટ્વિટર પર લખ્યું કે ખેડૂતોની જીત થશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube