મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) ના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) કહ્યું છે કે શિવસેનાને સત્તામાં રહેવા માટે જે પ્રકારે લોકો સાથે સમાધાન કરવું પડી રહ્યું છે તે બહુ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે વીર સાવરકરજી (Veer Savarkar) નું અપમાન મહારાષ્ટ્ર અને દેશ ક્યારેય સહન કરશે નહીં. આ અંગે ફડણવીસે કહ્યું કે પહેલા શિવસેનાના નેતા ખુબ જ આકરી પ્રતિક્રિયા આપતા હતાં પરંતુ હવે કેમ તેઓ નરમ પડી ગયા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાવરકર પર સંગ્રામ: શિવસેના નેતાએ કહ્યું-મહારાષ્ટ્ર અને દેશ માટે દેવતા છે વીર સાવરકર


ફડણવીસે કહ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi) નું નિવેદન શરમજનક છે. કદાચ તેમને સાવરકરજી અંગે જાણકારી નથી. સાવરકરજીએ આંદમાનની જેલની કાળ કોટડીમાં 12 વર્ષ સુધી યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ ગાંધી 12 કલાક પણ કરી ન શકે. ફક્ત ગાંધીનું નામ તમારામાં લગાવવાથી તમે ગાંધી ન બની જાઓ. 


શિવસેનાએ શું કહ્યું હતું?
શિવસેના (Shivsena) નેતા સંજય રાઉતે (Sanjay Raut)  આજે કહ્યું કે વીર સાવરકર (Veer Savarkar) ફક્ત મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ દેશના પણ દેવતા છે. તેમણે કહ્યું કે સાવરકરનું નામ દેશ માટે ગર્વ અને ગૌરવનો વિષય છે. નેહરુ અને ગાંધીની જેમ સાવરકરે પણ સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. આવા દરેક ભગવાનનું સન્માન થવું જોઈએ. તેની સાથે કોઈ સમાધાન થવું જોઈએ નહીં. 


વીર સાવરકરનું નામ ઉછાળનારા રાહુલ ગાંધી સત્ય શું છે તે જાણે છે?


રાઉતે કહ્યું કે અમે મહાત્મા ગાંધી અને પંડિત નેહરુ બંનેનું સન્માન કરીએ છીએ. કૃપા કરીને વીર સાવરકરનું અપમાન ન કરો. બુદ્ધિમાન લોકોને વધુ કશું કહેવાની જરૂર નથી. 


આ VIDEO પણ ખાસ જુઓ...


રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને લીધા આડે હાથ, કહ્યું- 'ઈતિહાસની જાણકારી નથી, તેમનો અહંકાર બોલે છે'


રાહુલ ગાંધીનો ઈશારો
હકીકતમાં રાહુલ ગાંધીનો ઈશારો હિન્દુવાદી નેતા દિવંગત વિનાયક દામોદર સાવરકર દ્વારા 14 નવેમ્બર 1913ના રોજ બ્રિટિશ સરકારને લખાયેલા માફી પત્ર તરફ હતો. જેને તેમણે આંદમાનની સેલ્યુલર જેલમાંથી લખ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....