નવી દિલ્લી: AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ લોકોને દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેઓ જણાવે છે કે, આ બમારી કોરોનાની જેમ ફેલાય છે. વૃદ્ધો અને બિમાર વ્યક્તિઓમાં ઝડપથી ફેલાય છે. ડૉ. ગુલેરિયા જણાવે છે કે, ઈન્ફ્લુએન્ઝા-A H3N2 હાલના સમયમાં શ્વાસ સંબંધિત બિમારીનું મુખ્ય કારણ છે. તમને જણાવી દઈએ કે, આ બિમારીને લઈને ICMRએ એડવાઈઝરી જારી કરી છે. એક્સપર્ટ્સ પણ જણાવે છે કે કોવિડનાં પ્રકોપ દરમિયાન ચલાવામાં આવતા અભિયાનોએ લોકોને વાયરોલોજી અને ખાસ પ્રકારના તણાવ અંગે વધુ જાગૃત કરી દીધા છે.


1 રાજ્યમાંથી ટિકિટ ખરીદો બીજા રાજ્યમાંથી ટ્રેનમાં બેસો! ભારતનું વિચિત્ર રેલવે સ્ટેશન


શું છે ઈન્ફ્લુએન્ઝા
ઈન્ફ્લુએન્ઝા એક મોસમી સંક્રમણ છે, જેને સિઝનલ ફ્લૂ શરદી-ખાંસીના રૂપમાં ઓળખવામાં આવે છે. આ સંક્રમણ તમામ ઉંમરના લોકોને પ્રભાવિત કરે છે. આ એક પ્રકારનો ચેપી ફ્લૂ છે. ભારતમાં ફ્લૂની વેક્સીન અંગે લોકોમાં જાગરુકતાની ખૂબ જ અછત છે. વિશેષજ્ઞો જણાવે છે કે, ઈન્ફ્લુએન્ઝાની વેક્સીન સંક્રમણથી બચવા માટેનો સૌથી પ્રભાવી વિકલ્પ છે.


ઈન્ફલ્યુએન્ઝાની વેક્સીન સલામત છે
મુંબઈના કન્સલ્ટન્ટ ડાયાબિટોલોજિસ્ટ ડૉ. રાજીવ કોવિલ માને છે કે ઈન્ફલ્યુએન્ઝા વેક્સીન સલામત છે. ઈન્ફલ્યુએન્ઝા સામે સમયાંતરે વેક્સીનેશન થવુ ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ગંભીર બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે. જ્યારે ડો. જેજો કરણકુમાર કહે છે કે ઈન્ફલ્યુએન્ઝા ચેપ સામે વધુ રક્ષણ સુનિશ્ચિત કરવા માટે વેક્સીન એ જ ચાવી છે. દેશમાં જાગૃતિના અભાવે સીઝનલ ફ્લૂને ઘણીવાર અવગણવામાં આવે છે.


આ પણ વાંચોઃ 'PM મોદીનાં નેતૃત્વમાં પાકિસ્તાનની કોઈ પણ ઉશ્કેરણીનો જવાબ આપી શકે છે ભારત'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube