નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) નો ભયંકર પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોનાની નવી લહેર અત્યંત જોખમી જોવા મળી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના દોઢ લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. જે અત્યંત જોખમી સ્થિતિ દર્શાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં દોઢ લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 1,52,879 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કુલ કેસનો આંકડો 1,33,58,805 પર પહોંચ્યો છે. જેમાંથી 1,20,81,443 દર્દીઓ રિકવર થવામાં સફળ થયા છે. જો કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હાલ દેશમાં 11,08,087 દર્દીઓ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 839 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,69,275 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 10,15,95,147 લોકોને રસી આપવામાં આવી છે. 


Video: રસી લીધા પછી પણ જો કોરોના થાય તો રસીનો ફાયદો શું? જવાબ ખાસ જાણો


CRPF જવાનને તાબડતોબ છોડવો પડ્યો...કારણ કે 'આ' ડરના કારણે નક્સલીઓના ટાંટિયા ઢીલા થઈ ગયા હતા


Corona: કોરોનાની નાગચૂડમાંથી થશે છૂટકારો!, આજથી દેશમાં 'રસી મહોત્સવ'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube