નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે તેને કોવિડ 19ની બીજી લહેર ગણાવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 81 હજારથી વધુ કેસ નોંધાયા છે. અનેક રાજ્યોમાં કોરોનાા કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. પરંતુ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં છે. આ બાજુ દિલ્હી સરકારે પણ ઈમરજન્સી બેઠક બોલાવી છે. જ્યારે મુંબઈમાં આજે સંપૂર્ણ લોકડાઉન પર નિર્ણય લેવાઈ શકે છે. આ ઉપરાંત કોરોના વાયરસના વધતા કેસના પગલે કેબિનેટ સેક્રેટરીએ આજે સવારે 11 વાગે રાજ્યોના મુખ્ય સચિવોની બેઠક બોલાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાના 81 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાંથી કોરોનાના નવા 81,466 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,23,03,131 પર પહોંચ્યો છે. જેમાંથી 1,15,25,039 લોકો રિકવર થયા છે જ્યારે 6,14,696 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 469 લોકોના કોરોનાથી મૃત્યુ નોંધાયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,63,396 પર પહોંચી ગયો છે. દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 6,87,89,138 લોકોને રસી અપાઈ છે. 


Corona: કોરોનાની ભયંકર થપાટ, મુંબઈ-અમદાવાદ વચ્ચેની આ ટ્રેન થઈ બંધ


Corona Vaccination: કોરોના રસીકરણ પર સરકારે લીધો મોટો નિર્ણય


આ દેશે ભારતની સ્વદેશી રસી લેવાની ના પાડી દીધી, જાણો શું છે કારણ 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube