નવી દિલ્હી: દેશ સતત કોરોના વાયરસ (Corona Virus) ના ભરડામાં ભીંસાતો જોવા મળી રહ્યો છે. રોજેરોજ કોરોના વાયરસના ઢગલો કેસ સામે આવી રહ્યાં છે. જેને જોતા કોરોના મોટો પડકાર બની રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 24,850 નવા કેસ નોંધાયા છે. જ્યારે 613 લોકોએ કોરોનાના કારણે એક જ દિવસમાં જીવ ગુમાવ્યાં છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 6,73,165 પર પહોંચ્યો છે. જેમાંથી 2,44,814 એક્ટિવ કેસ છે અને 4,09,083 લોકો ડિસ્ચાર્જ થયા છે. કોવિડ-19ના કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 19,268 લોકોના મૃત્યુ થયા છે. 


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube