નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. રોજેરોજ કેસના જે આકડા બહાર આવી રહ્યાં છે તે ચિંતાજનક છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 9971 કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 287 લોકોએ જીવ ગુમાવ્યાં છે. આંકડા મુજબ હાલ દેશમાં 246628 કોરોના કેસ છે જેમાંથી 120406 એક્ટિવ કેસ છે. જ્યારે 119293 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. દેશમાં કોવિડ 19થી કુલ 6929 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube