ભોપાલઃ કમલનાથે સોમવારે મધ્યપ્રદેશના 18મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના સોગંધ લીધા પછી તરત જ પહેલું કામ ખેડૂતોનું દેવું માફ કરવાનું કર્યું છે. તેમણે ખેડૂતોના દેવામાફીની ફાઈલ ઉપર હસ્તાક્ષર કર્યા છે. ઉલ્લેખની છે કે, કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોના દેવાને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો અને પોતાના ઘોષણાપત્રમાં પણ જો તેઓ ચૂંટાઈને આવશે તો ખેડૂતોનું દેવું માફ કરશે તેવું વચન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશની નવી સરકારના આ નિર્ણય બાદ ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું માફ કરવામાં આવશે. આ નિર્ણય અંતર્ગત 31 માર્ચ, 2018 સુધીનું દેવું માફ કરવામાં આવ્યું છે. સરકારના નિર્ણય મુજબ રાષ્ટ્રીય અને સહકારી બેન્કો પાસેથી લીધેલું તમામ દેવું માફ કરી દેવાશે. કમલનાથે આ સાથે જ સ્પષ્ટ કરી દીધું છે કે, અમારી સરકારની પ્રથમ પાર્થમિક્તા ખેડૂત હશે. 


અશોક ગેહલોતે મુખ્યમંત્રી પદના લીધા શપથ, રાહુલ-સોનિયા પણ છે હાજર


આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શવિરાજ સિંહ ચૌહાણે ખાસ હાજરી આપી હતા. તેમના ઉપરાંત તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર, લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવ, ડીએમકેના નેતા એમ.કે. સ્ટાલિન, રાજદના નેતા તેજસ્વી યાદવ, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અબ્દુલ્લા પણ હાજર રહ્યા હતા. 



મધ્યપ્રદેશ વિધાનસભા માટે 28 નવેમ્બરના રોજ મતદાન થયું હતું અને 11 ડિસેમ્બરના રોજ રાજ્યની 230 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. જેમાં કોંગ્રેસ 114 બેઠક સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની હતી. તેણે બસપાના 2, સપાના 1 અને ચાર અન્ય અપક્ષોના સમર્થન દ્વારા સરકાર બનાવી છે. અત્યારે કોંગ્રેસને કુલ 121 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. ભાજપને 109 બેઠકો મળી હતી. 


કમલનાથે શનિવારે મીડિયાને જણાવી દીધું હતું કે, અત્યારે તો તેઓ એકલા જ શપથ લેવાના છે, રાજ્યના મંત્રીમડળની જાહેરાત પાછળથી કરવામાં આવશે. એટલે કે મંત્રી બનવાની રાહ જોઈ રહેલા ધારાસભ્યોએ હજુ વધુ રાહ જોવી પડશે. 


દેશના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...