નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી પહેલા Zee News ના મંચ પર રાજનીતિના મહાસંવાદ ‘#IndiaKaDNA’માં ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યાએ કહ્યું કે પીઓકેમાં આતંકી પ્રશિક્ષણ કેન્દ્રો પર કરવામાં આવેલી કાર્યવાહી બાદથી સંપૂર્ણ દેશ ગર્વ અનુભવી રહ્યો છે. સેનાના પરાક્રમ પર એક તરફ લોકો છે જે ગર્વ કરી રહ્યાં છે અને બીજી તરફ તે લોકો છે જે શંકા કરી રહ્યાં છે. સેના ઉપર સવાલ ઉઠાવનાર માટે લોકોમાં ગુસ્સો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: #IndiaKaDNA માં સપા નેતા અબુ આઝમીએ એર સ્ટ્રાઇક પર ઉઠાવ્યો સવાલ, થયો સખત વિરોધ


તેમણે વધુમાં કહ્યું કે, આતંકવાદના અંત માટે આપણી સેનાએ જે પરાક્રમ કર્યું, હું દરેક જવાનનો આભાર માનું છું, આજે જવાબ આપવાનું કામ થઇ રહ્યું છે. જેના કારણે દેશમાં આત્મવિશ્વાસ જાગ્રુત થયો છે. આપણી સેના એટલી શક્તિશાળી સેના છે, જે દુશ્મનની આંખ પણ કાઢી શકે છે. સવાલ ઉઠાવનારની સંખ્યા ઓછી છે. મૌર્યાએ કહ્યું કે, 2019માં આપણે 2014થી ઘણી સારી સ્થિતીમાં ઉભા છીએ. સપા-બસપાનું ગઠબંધન ઠગબંધન છે. આ ગઠબંધનનું એક જ લક્ષ્ય છે કે દેશમાં હવે મજબૂત સરકાર ન બનવી જોઇએ.


#IndiaKaDNA: દેશમાં અર્થવ્યવસ્થાને જાણનાર એકમાત્ર નાણામંત્રી મનમોહન સિંહ રહ્યા- સ્વામી


તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસનો ટ્રેક રેકોર્ડ જોવાની જરૂરિયાત છે. દેશમાં કોંગ્રેસની પરથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે. તેમણે કહ્યું કે, જે પાકિસ્તાન અને જૈશના પ્રવક્તાવાળી ભાષા બોલે છે, તેમનો હિસાબ જનતા કરશે. તેમણે કહ્યું કે, 23 મેએ સપા-બસપા અને કોંગ્રેસ ગઇ.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...