સીધી: મધ્યપ્રદેશમાં ગત્ત દિવસોમાં આવકવેરા વિભાગ દ્વારા મુખ્યમંત્રી કમલનાથ સાથે જોડાયેલા લોકોએ અહીં આવકવેરા વિભાગનાં દરોડામાં મળેલી રકમનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ શુક્રવારે કહ્યું કે, ચોરી કરે છે તે જ પકડાય છે. જો મોદી ભુલ કરે તો આવકવેરા વિભાગ મોદીનાં ઘરે પણ દરોડા પાડી શકે છે. વડાપ્રધાન મોદીએ અહીં જુના વોર્ડમાં આયોજીત એક સભામાં રાજ્યમાં પોષણ આહારમાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, મધ્યપ્રદેશમાં આવકવેરા વિભાગનાં દરોડાઓમાં બોરામાંથી નોટો મળી આવી. આ રકમ પોષણ આહાર ગોટાળાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

INS વિક્રમાદિત્યમાં આગ, અગ્નિ શમન દરમિયાન નૌસેના અધિકારી શહીદ

આ દરોડા મુદ્દે કહેવામાં આવ્યું કે, તે કોંગ્રેસ નેતાઓનાં ઘરે જ કેમ પડી, એક તો આ રેડ મોદી કરે છે, આ ડિપાર્ટમેન્ટનું કામ છે પરંતુ મુદ્દો એ નથી કે રેડ ભાજપને ત્યાં થઇ કે કોંગ્રેસને ત્યાં. મુદ્દો એ છે કે આટલો બધો માલ ક્યાંથી લાવ્યા અને શા માટે કાઢ્યો.


સની દેઓલ ફિલ્મી ફોજી છે જ્યારે હું રિયલ ફોજી : કેપ્ટન અમરિંદર સિંહ 


PM મોદીનાં નામનું ટીશર્ટ પહેરી લગાવી રહ્યો હતો રાહુલનું પોસ્ટર, કોંગ્રેસ નેતાએ ભગાડ્યો
PM મોદીએ ઉમેદવારી નોંધાવતા પહેલા 2 વડીલોનાં ચરણસ્પર્શ કરી માર્યો માસ્ટર સ્ટ્રોક

તમામ લોકો માટે કાયદો સમાન હોવો જોઇએ. મોદીએ આગળ કહ્યું કે, કોંગ્રેસ સરકાર ગરીબો, ખેડૂતોનાં નામ પર યોજનાઓ બને છે અને તેમાં જ ગોટાળો કરી દે છે. દિલ્હીથી ભોપાલ સુધી કોંગ્રેસ માટે ભ્રષ્ટાચાર શિષ્ટાચારમાં પરિવર્તન થઇ ચુક્યું છે. એટલે જ નામદાર હોય કે રાજદાર (રહસ્યો જાણનાર વ્યક્તિ) કોઇ પણ બચી નહી શકે. 


જેલમાં જ રહેશે કૌભાંડી નીરવ મોદી બ્રિટનની કોર્ટે ફરી જામીન અરજી ફગાવી

વડાપ્રધાને કહ્યું કે, મધ્યપ્રદેશમાં ગરીબ આદિવાસી બાળકો અને પ્રસુતા માતાઓનાં પોષણ આહાર માટે ચોકીદારની સરકાર રાજ્યસરકારને દિલ્હીથી પૈસા મોકલે છે, જેથી પ્રસુતાને સારુ પોષણ મળે, જેના કારણે તેનાં ગર્ભમાં ઉછરી રહેલ બાળક અને પ્રસુતા બંન્નેનું સ્વાસ્થ સારુ રહે. પરંતુ ચોકીદારનાં રહેવા દરમિયાન ચોરી કરવાની હિમ્મત કરી ગયા અને આવા પૈસા ચુંટણી ગોટાળો કરી દીધો છે.