નાગપુર: બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતી (Mayawati)એ બાબાસાહેબ આંબેડકરની જેમ બૌદ્ધ ધર્મ અપનાવવાની વાત કરી છે. માયાવતીએ આ વાત મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કરી. આરએસએસના મુખ્યાલયવાળા શહેર નાગપુરમાં બીએસપી ઉમેદવાર માટે મત માંગવા પહોંચેલા માયાવતીએ કહ્યું કે તેઓ બાબાસાહેબના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લેશે. રેલીમાં બીએસપી સુપ્રીમોએ કહ્યું કે આરએસએસ પ્રમુખે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ભારત હિન્દુ રાષ્ટ્ર છે આથી મુસ્લિમો અહીં સુખી છે. અમે આરએસએસના આ તર્કો સાથે સહમત નથી. ભારત હિન્દુ રાષ્ટ્ર નહીં પરંતુ એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધી એવા કેપ્ટન છે જે કોંગ્રેસના ડૂબતા જહાજને છોડીને ભાગી ગયા: ઓવૈસી


તેમણે કહ્યું કે હાલની સરકારે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો તો અમે તેમનું સમર્થન કર્યું. પરંતુ તેનો અર્થ એ નથી કે આ સરકારની ખોટી નીતિઓનું સમર્થન કરીશું. કેન્દ્ર સરકારની ખોટી આર્થિક નીતિના કારણે દેશની આર્થિક સ્થિતિ બગડી છે. તૈયારી વગર કરાયેલી નોટબંધી, જીએસટી અને પૂંજીવાદી સમર્થનક નીતિઓ લાગુ કરાઈ. બીએસપી સુપ્રીમોએ કહ્યું કે બીએસપી મહારાષ્ટ્ર ચૂંટણીમાં ચૂંટણી ઘોષણા પત્ર બહાર નહીં પાડે કારણ કે લોકોનો આવા ચૂંટણી ઢંઢેરાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...