મુંબઈ: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)એ નાગરિકતા કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે CAA કોઈ પણ નાગરિકની નાગરિકતા છીનવતો નથી. પરંતુ તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં NRC લાગુ થશે નહીં. શિવસેના સાંસદ સંજય રાઉતને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે આ વાત કરી. તેમણે કહ્યું કે એનઆરસી કાયદો મહારાષ્ટ્રમાં લાગુ થવા દેવામાં નહીં આવે. જો કે મુખ્યમંત્રીએ નાગરિકતા કાયદા પર નરમ વલણ અપનાવતા કહ્યું કે આ કાયદો કોઈ પણ ભારતીય નાગરિકની નાગરિકતા છીનવતો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus: કેરળમાં મળ્યો બીજો પોઝિટિવ કેસ, ચીનથી 323 ભારતીયો દિલ્હી પહોંચ્યા


મહાવિકાસ આઘાડીની સરકારના ચીફ એવા ઉદ્ધવ ઠાકરેએ એકવાર ફરીથી હિન્દુત્વનો નારો બુલંદ કર્યો છે. ઈન્ટરવ્યુમાં ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે કહ્યું કે શિવસેનાએ હિન્દુત્વની પોતાની વિચારધારા છોડી નથી અને ન તો તેણે કોઈની સાથે સમાધાન કર્યું છે. સામનાના સંપાદક સંજય રાઉતને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે અમે હિન્દુત્વ છોડ્યું નથી. ગઠબંધન કર્યું છે તેનો અર્થ એ નથી કે અમે ધર્મ બદલી લીધો છે. આ ઈન્ટરવ્યું આવનારી 3.4 અને 5 તારીખે સામનામાં પ્રકાશિત થશે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube