નવી દિલ્હી: દુનિયામાં અનેક કિલ્લાઓ (Fort) છે, ભારતમાં પણ ઘણા ખ્યાતનામ કિલ્લાઓ છે અને તેમના એક ભવ્ય ઈતિહાસ પણ છે. કેટલાક કિલ્લાઓ રહસ્યમય (Mysterious) પણ છે. આવા કિલ્લાઓના રહસ્યો જાણવા એક કોઈ બચ્ચાના ખેલ નથી હોતા. આવો જ એક રહસ્યમય કિલ્લો છે આપણા દેશમાં જેનું નામ છે ગઢકુંડાર કિલ્લો (Garhkundhar Fort). આ કિલ્લો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ઝાંસીથી લગભગ 70 કિમી દૂર આવેલો છે. આ કિલ્લો 5 માળનો છે જે 11મી સદીમાં બનાયો હોવાનું કહેવાય છે. આ કિલ્લાની ખાસ વાત એ છે કે તેના 3 માળ ઉપર છે અને બાકીના 2 માળ જમીનની નીચે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉન્નાવ: દુષ્કર્મ પીડિતાને જીવતી બાળી મૂકનારા 5 આરોપીઓને પોલીસે દબોચ્યા, યુવતી 90 ટકા દાઝી ગઈ


આ રહસ્યમય કિલ્લો 1500 થી 2000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. જો કે કિલ્લો ક્યારે કોણે બનાવ્યો તે અંગેની પૂરતી માહિતી કોઈની પાસે નથી. જો કે અહીં ચંદેલો, બુંદેલો અને ખંગાર જેવા અનેક શાસકોનું શાસન રહ્યું હતું. 


ચિદમ્બરમનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-'ખોટા હાથમાં અર્થવ્યવસ્થા, દેશનો GDP 1.5%'


ગઢકુંડાર કિલ્લાની ગણતરી ભારતના સૌથી રહસ્યમય કિલ્લાઓમાં થાય છે. આસપાસના લોકો જણાવે છે કે ઘણા સમય પહેલા અહીં પાસેના ગામમાંથી એક જાન આવી હતી. જાન કિલ્લો ફરવા ગઈ. ફરતા ફરતા લોકો બેઝમેન્ટમાં જતા રહ્યાં. ત્યારબાદ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયાં. તે 50-60 લોકોની આજ દિન સુધી ભાળ મળી નથી. ત્યારબાદ અનેક એવી ઘટનાઓ ઘટી કે પછીથી કિલ્લાના બેઝમેન્ટમાં જવાના બધા દરવાજા બંધ કરી દેવાયા. 


આ VIDEO પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube