નવી દિલ્હી: કેન્દ્રીય રેલવેમંત્રી પિયુષ ગોયલને consumer affairs food and public distribution નો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવને શુક્રવારે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને આ જાણકારી આપી. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન બાદ મંત્રીપદ ખાલી થતા તેમનો કાર્યભાર પિયુષ ગોયલને સોંપાયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન: માથાભારે લોકોએ પૂજારીને પેટ્રોલ છાંટી જીવતા બાળી મૂક્યા, સારવાર દરમિયાન મૃત્યુ


અત્રે જણાવવાનું કે રામવિલાસ પાસવાનનું ગુરુવારે દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં નિધન થયું. 74 વર્ષના રામવિલાસ પાસવાનની હાલમાં જ હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. પરંતુ ગુરુવારે તેમની તબિયત કથળી અને સાંજે 6.05 વાગે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.


ભારતે એન્ટી રેડિએશન મિસાઈલ 'રુદ્રમ'નું સુખોઈ ફાઈટર જેટથી કર્યું સફળ પરીક્ષણ, જાણો ખાસિયતો


પિયુષ ગોયલ પાસે 3 મંત્રાલય
consumer affairs food and public distribution મંત્રાલયનો વધારાનો ભાર મળ્યા બાદ પિયુષ ગોયલ પાસે હવે 3 મંત્રાલયનો ચાર્જ છે. આ અગાઉ તેઓ રેલવે મંત્રાલય અને વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી પણ સંભાળતા હતા.


હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube