નવી દિલ્હી: વડાપ્રધાન મોદી આજે (24 ડિસેમ્બર) આઇઆઇટી ભુવનેશ્વરનું ઉદ્ધાટન કર્યું છે. સાથે જ તેઓ ઓડિશામાં સ્વાસ્થ્ય, રોડ-રસ્તા, ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલી 14,500 કરોડ રૂપિયાનાં રોકાણની વિકાસ યોજનાઓનો પણ શુભારંભ કર્યો છે. આ યોજનાઓમાં 3,800 કરોડ રૂપિયાની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પારાદીપ- હૈદરાબાદ પેટ્રોલિયમ ઉત્પાદન પાઇપલાઇન પણ સામેલ છે. પીએમ મોદીએ કહ્યું કે આ પાઇપલાઇનથી ઓડિશા પૂર્વ ભારતનું પેટ્રોલિયમ હબ બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ તે દરમિયાન કહ્યું કે વિકાસના આ સમગ્ર પ્રોજેક્ટ્સ માટે ઓડિશાના દરેક લોકોને ખુબ-ખુબ શુભકામનાઓ આપુ છું. આ પહેલી વખત છે કે જ્યારે કોઇ કેન્દ્ર સરકાર દ્વારા ઓડિશા સહિત સંપૂર્ણ પૂર્વ ભારતના વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આજે આઇઆઇટી ભુવનેશ્વરના યુવાનો માટે સમર્પિત કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે. તેના નિર્માણમાં 1260 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ભવ્ય કેમ્પસ આવનારા સમયમાં ઓડિશાના યુવાઓના સપનાનું સેન્ટર તો બનશે, સાથે તે યુવાઓ માટે રોજગારનું નવું માધ્યમ પણ બનશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...