કોલકાતા: નાગરિકતા સંશોધન  કાયદા (CAA) અને NRCને લઈને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા TMCના ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)  આજે પોતાના બે દિવસના પ્રવાસ હેઠળ આજે કોલકતા પહોંચશે. વડાપ્રધાન આજે પુર્નનિર્મિત અને નવીનિકરણ કરાયેલા કોલકાતા સ્થિત ચાર ધરોહર ઈમારતો રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ મોદીની મુસાફરી પહેલા શહેરના ઐતિહાસિક હાવડા બ્રિજને રોશનીથી ઝળહળતો કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કનૌજ અકસ્માત: સ્લીપર કોચ બસમાં 21 જેટલા લોકો જીવતા ભૂંજાયા, DNA ટેસ્ટથી થશે મૃતકોની ઓળખ


પીએમના પ્રવાસ દરમિયાન બધાની નજર એ વાત પર રહેશે કે તેમની મુલાકાત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) સાથે થશે કે નહીં. કહેવાય છે કે રાજભવનના કાર્યક્રમોમાં તેમની મુલાકાત મમતા બેનરજી સાથે થઈ શકે છે. 


પીએમ મોદી જે ચાર ધરોહરો રાષ્ટ્રને સમર્પિત કરશે તેમાં ઓલ્ડ કરન્સી બિલ્ડિંગ, બેલ્વેડિયર હાઉસ, મેટકાફ હાઉસ, અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ સામેલ છે. તેનું નવીનિકરણ કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરાયું છે. અહીં જૂની દીર્ઘાઓને ક્યૂરેટ કરવા ઉપરાંત નવા પ્રદર્શનોની સાથે પ્રતિષ્ઠિત દીર્ઘાઓનું પણ નવીનિકરણ કરાયું છે. 


આજથી દેશમાં નાગરિકતા સંશોધિત કાયદો લાગૂ, સરકારે જારી કર્યું નોટિફિકેશન


આ નવીનિકરણ અભ્યાસ દેશના વિભિન્ન મેટ્રો શહેરોમાં પ્રતિષ્ઠિત ઈમારતોની આસપાસ સાંસ્કૃતિક સ્વરૂપ વિક્સિત કરવા માટે મંત્રાલયોની પહેલનો એક ભાગ છે. કોલકાતામાં થયેલી શરૂઆત સાથે હવે તે દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને વારાણસીમાં પણ થઈ રહ્યું છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....