નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના સાંસદો સાતે બેઠકમાં સ્પષ્ટ કર્યું કે તેઓ સંગઠનમાં અધ્યક્ષ પદ પર રહેવા માંગતા નથી. તેમણે એમ પણ કહ્યું કે બિનગાંધી પરિવારમાંથી કોઈ પાર્ટી અધ્યક્ષ તરીકે હોવા જોઈએ. સૂત્રોના જણાવ્યાં મુજબ મીટિંગમાં હાજર સોનિયા ગાંધીએ આ દરમિયાન એક પણ શબ્દ કહ્યો નહતો. નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સજ્જડ હાર બાદ 25મી મેના રોજ પાર્ટી કાર્ય સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામાની રજુઆત કરી હતી. જો કે કાર્ય સમિતિના સભ્યોએ તેમની રજુઆત ફગાવતા તેમને ધરમૂળ ફેરફાર માટે અધિકૃત કર્યા હતાં. ત્યારબાદથી પાર્ટીમાં આ અંગે અસમંજસની સ્થિતિ પેદા થયેલી છે કે રાહુલ ગાંધી પદ પર રહેશે કે પછી બીજા નેતાને આ જવાબદારી સોંપાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મણિશંકર ઐય્યરે રાહુલ ગાંધી વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું-'ગાંધીમુક્ત કોંગ્રેસ...'
રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવાની અનિશ્ચિતતાઓ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે રવિવારે કહ્યું કે ગાંધી પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ બની શકે છે. પરંતુ ગાંધી પરિવારે સંગઠનની અંદર સક્રિય રહેવું પડશે. તેમણે દાવો કર્યો કે ભાજપનું લક્ષ્ય 'ગાંધી મુક્ત કોંગ્રેસ' છે જેથી કરીને 'કોંગ્રેસ મુક્ત ભારત'નો તેમનો ઉદ્દેશ્ય પૂરો થઈ શકે. ઐય્યરે કહ્યું કે જો રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ બની રહે તો સૌથી સારું રહેશે પરંતુ આ સાથે જ રાહુલની ઈચ્છાઓનું પણ સન્માન થવું જોઈએ. 


VIDEO: અમેરિકી વિદેશમંત્રી માઈક પોમ્પિયો ભારતમાં, PM મોદી સાથે કરી મુલાકાત


તેમણે પીટીઆઈ-ભાષાને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે મને ખાતરી છે કે પાર્ટીનો અધ્યક્ષ કોઈ નહેરુ-ગાંધી પરિવારમાંથી ન હોય તો પણ અમારું અસ્તિત્વ જળવાઈ રહેશે પરંતુ શરત એ છે કે નહેરુ-ગાંધી પરિવાર પાર્ટીમાં સક્રિય રહે અને આવા સંકટનું સમાધાન કાઢવામાં મદદ કરે જ્યાં ગંભીર મતભેદ ઉભા થયા હોય. ઐય્યરે કહ્યું કે રાહુલે અધ્યક્ષ પદ માટે કોઈ અન્ય વિકલ્પ શોધવા એક મહિનાનો સમય આપ્યો છે અને આ મુદ્દે કોંગ્રેસની અંદર વાતચીત ચાલુ છે જ્યાં પાર્ટીમાં મોટાભાગના લોકો રાહુલ  પદ પર જળવાઈ રહે તેના પક્ષમાં છે. 


જુઓ LIVE TV


VIDEO: રસ્તાની વચ્ચોવચ નમાજના વિરોધમાં BJP કાર્યકરોએ રોડ પર કર્યાં હનુમાન ચાલીસા પાઠ


સંગઠનના ટોચના નેતૃત્વમાં ફેરફારની જરૂરિયાતને લઈને પૂછાયેલા સવાલના જવાબમાં ઐય્યરે કહ્યું કે જો તમે માથું વાઢી નાખશો તો ધડ તરફડિયા મારશે. ઐય્યરે પાર્ટીના ઈતિહાસમાંથી એવા અનેક ઉદાહરણ રજુ કર્યાં જ્યારે નહેરુ-ગાંધી પરિવારના બહારના લોકો પાર્ટી અધ્યક્ષ બન્યા હતાં, યુએન ઢેબરથી લઈને બ્રહ્માનંદ રેડ્ડી સુધી. તેમણે કહ્યું કે હજુ પણ આ મોડલને અપનાવી શકાય છે. રાહુલ ગાંધીના રાજીનામાની રજુઆત બાદ તેમના આગામી પગલાને લઈને લાગેલી અટકળો વચ્ચે ગુરુવારે તેમણે કહ્યું હતું કે પાર્ટી નિર્ણય લે કે તેમના પછી આ પદને કોણ સંભાળશે અને તેઓ આ પદ પર રહેશે નહીં.


દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...