મણિશંકર ઐય્યરે રાહુલ ગાંધી વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું-'ગાંધીમુક્ત કોંગ્રેસ...'

રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવાની અનિશ્ચિતતાઓ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે રવિવારે કહ્યું કે ગાંધી પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ બની શકે છે.

મણિશંકર ઐય્યરે રાહુલ ગાંધી વિશે આપ્યું મોટું નિવેદન, કહ્યું-'ગાંધીમુક્ત કોંગ્રેસ...'

નવી દિલ્હી: રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેવાની અનિશ્ચિતતાઓ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે રવિવારે કહ્યું કે ગાંધી પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ બની શકે છે. પરંતુ ગાંધી પરિવારે સંગઠનની અંદર સક્રિય રહેવું પડશે. તેમણે દાવો કર્યો કે ભાજપનું લક્ષ્ય 'ગાંધી મુક્ત કોંગ્રેસ' છે જેથી કરીને 'કોંગ્રેસ મુક્ત ભારત'નો તેમનો ઉદ્દેશ્ય પૂરો થઈ શકે. ઐય્યરે કહ્યું કે જો રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ બની રહે તો સૌથી સારું રહેશે પરંતુ આ સાથે જ રાહુલની ઈચ્છાઓનું પણ સન્માન થવું જોઈએ. 

તેમણે પીટીઆઈ-ભાષાને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે મને ખાતરી છે કે પાર્ટીનો અધ્યક્ષ કોઈ નહેરુ-ગાંધી પરિવારમાંથી ન હોય તો પણ અમારું અસ્તિત્વ જળવાઈ રહેશે પરંતુ શરત એ છે કે નહેરુ-ગાંધી પરિવાર પાર્ટીમાં સક્રિય રહે અને આવા સંકટનું સમાધાન કાઢવામાં મદદ કરે જ્યાં ગંભીર મતભેદ ઉભા થયા હોય. ઐય્યરે કહ્યું કે રાહુલે અધ્યક્ષ પદ માટે કોઈ અન્ય વિકલ્પ શોધવા એક મહિનાનો સમય આપ્યો છે અને આ મુદ્દે કોંગ્રેસની અંદર વાતચીત ચાલુ છે જ્યાં પાર્ટીમાં મોટાભાગના લોકો રાહુલ  પદ પર જળવાઈ રહે તેના પક્ષમાં છે. 

જો કે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ એ વાત પર ભાર મૂક્યો કે મીડિયાએ અટકળો કરવાની જગ્યાએ 'અંતિમ સમય મર્યાદા'ની રાહ જોવી જોઈએ કે શું કોઈ વિકલ્પ મળી ગયો છે કે પછી રાહુલને કોંગ્રેસ અધ્યક્ષ જળવાઈ રહેવા માટે મનાવવામાં આવ્યો છે. ઐય્યરે કહ્યું કે 'મને નથી લાગતું કે આ વ્યક્તિત્વનો મામલો છે. હું જાણું છું કે ભાજપનો લક્ષ્ય ગાંધીમુક્ત કોંગ્રેસ અને કોંગ્રેસ મુક્ત ભારત છે. મારા વિચારમાં અમે એ વિચારની જાળમાં ફસાવવાના નથી કે તેમણે કઈંક એવું જાણી લીધુ છે જેને શોધવા માટે અમે અસમર્થ છીએ.'

સંગઠનના ટોચના નેતૃત્વમાં ફેરફારની જરૂરિયાતને લઈને પૂછાયેલા સવાલના જવાબમાં ઐય્યરે કહ્યું કે જો તમે માથું વાઢી નાખશો તો ધડ તરફડિયા મારશે. ઐય્યરે પાર્ટીના ઈતિહાસમાંથી એવા અનેક ઉદાહરણ રજુ કર્યાં જ્યારે નહેરુ-ગાંધી પરિવારના બહારના લોકો પાર્ટી અધ્યક્ષ બન્યા હતાં, યુએન ઢેબરથી લઈને બ્રહ્માનંદ રેડ્ડી સુધી. તેમણે કહ્યું કે હજુ પણ આ મોડલને અપનાવી શકાય છે. રાહુલ ગાંધીના રાજીનામાની રજુઆત બાદ તેમના આગામી પગલાને લઈને લાગેલી અટકળો વચ્ચે ગુરુવારે તેમણે કહ્યું હતું કે પાર્ટી નિર્ણય લે કે તેમના પછી આ પદને કોણ સંભાળશે અને તેઓ આ પદ પર રહેશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news