નવી દિલ્હીઃ નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે સોમવારે જણાવ્યું કે, સંસાધનોના યથાસંભવ મહત્તમ ઉપયોગ એટલે કે રિસાઈકલિંગ અર્થતંત્રમાં આગામી 5-7 વર્ષમાં 1.4 કરોડ નોકરીઓ સર્જન કરવાની અને લાખોની સંખ્યામાં નવા ઉદ્યોગ સાહસિક તૈયાર કરવાની ક્ષમતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્યોગ મંડળ ફિક્કી દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાંતે જણાવ્યું કે, રિસાઈકલિંગ અર્થતંત્ર લાગુ કરવા માટે સતત વિકાસક અને સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવો એ આજના સમયની માગ છે. રિસાઈકલિંગ અર્થતંત્રનો આશય એવી પ્રણાલી સાથે છે, જેમાં કચરાને બરબાદ કરવાને બદલે તેનો નવા ઉત્પાદનો અને ઉપયોગ કરવા માટેની ચીજ-વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...