RSSના વરિષ્ઠ સ્વયંસેવક એમજી વૈદ્યનું 97 વર્ષની વયે નિધન, પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

એમજી વૈદ્યનું 97 વર્ષની ઉંમરના નાગપુરના સ્પંદન હોસ્પિટલમાં આજે નિધન થયુ છે. એમજી વૈદ્યે બપોરે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર હતા.
નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વરિષ્ઠ સ્વયંસેવક એમજી વૈદ્યનું શુક્રવારે નિધન થયુ છે. એમજી વૈદ્યનું 97 વર્ષની ઉંમરના નાગપુરના સ્પંદન હોસ્પિટલમાં આજે નિધન થયુ છે. એમજી વૈદ્યે બપોરે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર હતા. તબીયત બગડવા પર એમજી વૈદ્યને થોડા દિવસ પહેલા નાગપુરની સ્પંદન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જાણકારી પ્રમાણે એમજી વૈદ્યના અંતિમ સંસ્કાર 20 ડિસેમ્બરે અંબાઝરી ઘાટ પર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વૈદ્યનું પૂરુ નામ માધવ ગોપાલ વૈદ્ય હતુ. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવક્તા પણ રહી ચુક્યા છે. એમજી વૈદ્ય સંઘના એવા સ્વયંસેવક હતા, જેમની સાથે અત્યાર સુધી દરેક સરસંઘચાલકની સાથે કામ કરવાનો અનુભવ હતો.
પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યુ
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube