નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી નવા સંસદ ભવનને લઈને ગુસ્સામાં છે. કોંગ્રેસે નવા સંસદ ભવન અને જુના ભવનની ડિઝાઇનની તુલના કરતા સ્વદેશી અને વિદેશીનો મુદ્દો ઉછાળ્યો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે કહ્યુ કે, અંગ્રેજોએ બનાવેલું હાલનું સંસદ ભવન મધ્ય પ્રદેશના મુરૈના સ્થિત ચોસઠ યોગિની મંદિર જેવું દેખાય છે, પરંતુ નવું 'આત્મનિર્ભર' સંસદ ભવનનું સ્વરૂપ વોશિંગટન ડીસી સ્થિત પેન્ટાગન (અમેરિકી સંસદનો રક્ષા વિભાગ) સાથે મળતું આવે છે. તેને લઈને લોકો વચ્ચે અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા સંસદ ભવનના નિર્માણની કોંગ્રેસ પ્રવક્તાએ કરી ટીકા
તો કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલે નવા સંસદ ભવનને ટ્વીટ કરીને લખ્યુ કે, નવી ઈમારતની આધારશિલા રાખવાનો નિર્ણય સંવેદનહીન, હ્રદયહીન અને બેશરમી ભર્યો છે. ખાસ કરીને તેવા સમયમાં જ્યારે દેશ આર્થિક મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ભાજપ લોકોને રાહત આપવાની જગ્યાએ ખોટા જુલૂસ કાઢી રહી છે. તેમણે કહ્યુ કે, સરકારનું આ પગલું અંતિમ સંસ્કારના સમયે ડીજે વગાડવા બરાબર છે. 


ભારતીય સંસદનો ઈતિહાસઃ આતંકી હુમલાથી લઈને રાજકિય ઊથલપાથલનું સાક્ષી છે સંસદ ભવન


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube