મુંબઇ: મહારાષ્ટ્રમાં લાંબા રાજકીય ગતિરોધ પછીહવે ત્રણેય પક્ષોના ગઠબંધનની સરકાર બનવા જઇ રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ એનસીપી અને કોંગ્રેસ તથા કેટલીક નાની પાર્ટીઓના સહયોગથી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (Maha Vikas Aghadi)ની સરકાર બનવા જઇ રહી છે. એકતરફ વિધાનસભામાં નવા ધારાસભ્યો શપથ ગ્રહણ કરી રહ્યા છે તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ આજે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરદ પવારે અજિત પવાર રૂપી તીર વડે કર્યા 4 શિકાર! શું BJP સમજી ન શકી આ માઇન્ડ ગેમ


જોકે રાજ્યમાં ડેપ્યુટી સીએમ અને મંત્રિમંડળને લઇને હજુ સુધી કોઇ નામ સામે આવ્યા નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે એનસીપી અને કોંગ્રેસ દ્વારા એક-એક ડેપ્યુટી સીએમ હશે. સૂત્રોના હવાલેથી સમાચાર મળી રહ્યા છે કે ભાજપ સાથે હાથ મિલાવેને સરકાર બનાવનાર ડેપ્યુટી સીએમ પદની શપથ લેનાર શરદ પવારના ભત્રીજા અજિત પવારે પણ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારમાં સ્થાન મળી શકે છે. 

સામનામાં શિવસેનાનો તીખો હુમલો, અજિત પવારે અંતિમ ક્ષણોમાં તેમનું વસ્ત્રહરણ રોકી લીધું, પરંતુ BJP...


એનસીપી નેતા શરદ પવાર આજે બપોરે 1 વાગે પોતાની પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. સમાચાર છે કે આ બેઠકમાં અજિત પવારને મંત્રી બનાવવાને લઇને નિર્ણય લેવામાં આવશે. સમાચાર એ પણ છે કે આ બેઠકમાં શરદ પવાર સાથે-સાથે અજિત પવાર પણ સામેલ થશે. 


સમાચારોનું માનીએ તો એનસીપી અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવાની તૈયારીમાં છે. સમાચાર એ પણ છે કે મંત્રિમંડળની યાદી બનાવવામાં આવશે જેમાં ત્રણેય પક્ષોના મુખ્ય નેતા શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસમાંથી અહેમદ પટેલ તેના પર ચર્ચા કરીને અંતિમ સ્વરૂપ આપશે. શપથ ગ્રહણમાં સિલેક્ટેડ મંત્રીપદોની શપથ ગ્રહણ થઇ શકે છે. 

ઉદ્ધવ નહી આ નેતાના હાથમાં હશે મહારાષ્ટ્રની 'કમાન', વાંચો જાણકારો શું કહે છે


તમને જણાવી દઇએ કે 24 ઓક્ટોબરોના રોજ આવેલા પરિણામો બાદ ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમમાં સૌથી મહત્વપૂર્ણ પાત્રમાં રહેલા એનસીપીના નેતા અજિત પવાર. 54 ધારાસભ્યોવાળી પાર્ટી એનસીપીના ઘારાસભ્ય દળના નેતા અજિત પવારે 23 નવેમ્બરના રોજ ભાજપ સાથે મળીને ડેપ્યુટી સીએમ પદના શપથ લઇ લીધા હતા. સવારે 8 વાગે આ શપથ ગ્રહણને જોઇ દરેક જણ સન્ન રહી ગયું હતું. 

શિવસેના ધારાસભ્યોનો દાવો, પહેલાં જ કેબિનેટ બેઠકમાં માફ થશે ખેડૂતોનું દેવું


એક તરફ એનસીપી શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન પર વાતચીત ચાલી રહી હતી તો બીજી તરફ અજિત પવારે પણ તમામ ધારાસભ્યોના સમર્થન પત્રને બતાવીને દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપવનો દાવો રાજ્યપાલ સમક્ષ રજુ કર્યો. પરંતુ ભાજપને સમર્થન આપવાને લઇને અજિત પવારે ના તો પાર્ટી પ્રમુખ શરદ પવારને વિશ્વાસમાં લીધા ના તો કોઇ ધારાસભ્યને. પરિણામ એ આવ્યું કે બધા ધારાસભ્યો શરદ પવાર પાસે જ રહ્યા કોઇ પણ ધારાસભ્ય અજિત પવાર સાથે ગયા નહી. તો બીજી તરફ ઉતાવળમાં રાષ્ટ્રપતિ શાસન દૂર કરવા અને દેવેન્દ્ર ફડણવીસને શપથ અપાવવાના મામલે એનસીપી-શિવસેના અને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ગઇ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube