મુંબઈ:મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને કવાયત તેજ થઈ ગઈ છે. મુંબઈમાં આજે નહેરુ સેન્ટરમાં કોંગ્રેસ-NCP અને શિવસેના વચ્ચે બેઠક પણ યોજાઈ. બેઠક બાદ એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે લીડરશીપને લઈને ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ બની છે. ત્રણેય પાર્ટીઓના નેતાઓ વચ્ચે દોઢ કલાકથી પણ વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી. બેઠકમાં સીએમ પદને લઈને સામાન્ય સહમતી જરૂર બની છે. પરંતુ હજુ ઔપચારિક જાહેરાત બાકી છે. બેઠક બાદ એનસીપી ચીફ શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી મુખ્યમંત્રી પદની વાત છે તો તેમાં કોઈ બેમત નથી. ઉદ્ધવ ઠાકરેએ જ લીડ કરવું જોઈએ. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ પર ચર્ચા ચાલુ છે. તેમણે જણાવ્યું કે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પવારે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે પાસે જ આ સરકારની લીડરશીપ છે. શું એનસીપી અઢી વર્ષ માટે સીએમ પદ લેશે તો તેમણે જવાબ આપતા કહ્યું કે લીડરશીપનો ઈશ્યુ અમારી સામે પેન્ડિંગ છે જ નહીં. તેમણે વધુમાં કહ્યું કે શનિવારે એ અંગે નિર્ણય લેવાશે કે ગવર્નર પાસે ક્યારે જવું. 


આ બાજુ બેઠક બાદ શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે પહેલીવાર ત્રણેય પાર્ટીઓના નેતાઓ સાથે બેઠા છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર બનાવતા પહેલા કોઈ પણ એવો મુદ્દો ન હોય કે જેનો અમારી પાસે ઉકેલ ન હોય. તેમણે કહ્યું કે સકારાત્મક ચર્ચા થઈ અને તમામ મુદ્દાઓ પર વાત થઈ. 


ઉદ્ધવ ઠાકરેને કેમ નથી બનવું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ છે તેની પાછળનું મુખ્ય કારણ 


ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના નિવેદનો પર ધ્યાન આપીએ તો સ્પષ્ટ થાય છે કે ત્રણેય પક્ષો વચ્ચે મુખ્યમંત્રીની ખુરશીને લઈને પેચ ફસાયેલો છે. કારણ કે શિવસેના તરફથી હજુ આ અંગે કોઈ નિવેદન અપાયું નથી. શિવસેનાને આ વખતે ચૂંટણીમાં 56 બેઠકો, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી છે. 


સેનાએ મુખ્યમંત્રી પદ માટે નવા નામ સૂચવ્યાં
શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેનું નામ મુખ્યમંત્રી પદના દાવેદારીમાં સામેલ ન થયા બાદ હવે પાર્ટીએ સુભાષ દેસાઈ અને એકનાથ શિંદેનું નામ પણ સૂચવ્યું છે. પરંતુ પાર્ટી સૂત્રોનું કહેવું છે કે એનસીપીએ આ નામો ફગાવી દીધા છે અને ભાર પૂર્વક કહ્યું છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી બને. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube