નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસથી કોરોના (Corona virus) ના કેસ સતત વધતા જોવા મળી રહ્યાં હતાં તેમાં આજે થોડો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 69,921 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કેસનો કુલ આંકડો 36,91,167 પર પહોંચી ગયો છે. જેમાંથી 7,85,996 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 28,39,883 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. કોરોનાએ એક જ દિવસમાં 819 લોકોનો ભોગ લીધો. દેશમાં કોરોનાથી મૃત્યુનો કુલ આંકડો 65,288 થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona: દેશમાં ક્યારે કાબૂમાં આવશે કોરોના? કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપ્યો જવાબ


29 ઓગસ્ટના રોજ કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 78,761 નવા કેસ નોંધાયા હતાં. જો કે રાહતની વાત એ છે કે મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 1.78 થઈ ગયો. આ ઉપરાંત એક્ટિવ કેસ કે જેમની સારવાર ચાલુ છે તેમનો દર પણ ઘટીને 22 ટકા થયો છે. રિકવરી રેટ એટલે કે સાજા થવાનો દર 77% થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. 


Coronavirus: કોરોનાના લક્ષણો વિશે WHOએ આપ્યું મોટું નિવેદન, જાણવું ખુબ જ જરૂરી


કોરોના સંક્રમિતો અને મોતની સંખ્યા જોઈએ તો ભારત દુનિયાનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ ભારત છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube