નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતની તપાસના મુદ્દે પોતાનો ચૂકાદો પેન્ડીંગ રાખ્યો છે. રિયા ચક્રવર્તીના સુશાંત કેસને પટનાથી મુંબઇ ટ્રાંસફર કરાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂકાદો પેન્ડીંગ રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં નક્કી કરશે કે બિહારમાં દાખલ એફઆઇઆરને મુંબઇ ટ્રાંસફર કરવામાં આવે કે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કેસની સુનાવણી જસ્ટિસ ઋષિકેશ રોયની બેંચ સુનાવણી કરવાની હતી. સીનિયર એડવોકેટ મનિંદર સિંહ બિહાર સરકાર તરફથી, અભિષેક મનુ સિંઘવી મહારાષ્ટ્ર સરકાર, શ્યામ દિવાન રિયાની તરફથી અને વિકાસ સિંહ સુશાંત સિંહની ફેમિલીનો પક્ષ રજૂ કર્યો. 


કોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ચૂકાદો પેન્ડીંગ રાખો અને તમામ પક્ષોને કહ્યું કે તે પોત-પોતાની દલીલો લેખિતમાં પણ ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં જવા કરાવી દીધા. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કેન્દ્ર સરકારે શું કહ્યું?
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કેસની સીબીઆઇ તપાસની જરૂર ગણાવી. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ જવાબ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે અત્યાર સુધી મુંબઇ પોલીસે FIR દાખલ કેમ ન કરી?


રિયાના વકીલ શ્યામ દીવાને કહ્યું કે સીબીઆઇ તપાસ વિના રાજ્યની મંજૂરી વિના શરૂ થઇ ન શકે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ અક્રનાર પહેલું રાજ્ય મહારાષ્ટ્ર છે એટલા માટે મહારાષ્ટ્ર સરકારની મંજૂરી વિના સીબીઆઇ તપાસ થઇ ન શકે. તેમણે કહ્યું કે પહેલા બિહાર પોલીસની એફઆઇઆર મુંબઇ પોલીસે પાસે ટ્રાંસફર થાય, ત્યારબા જો મહારાષ્ટ્ર સરકાર મંજૂરી આપે ત્યારે સીબીઆઇ તપાસ થાય. 


તેમણે પટનામાં દાખલ FIR પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે બિહારના ક્ષેત્રાધિકાર નથી. 38 દિવસ બાદ FIR દાખલ કરવા 38 દિવસ બાદ FIR દાખલ કરવી ઔચિત્ય નથી. FIR દાખલ થવા પાછળ રાજકિય કારણ છે. બિહાર પોલીસીક એવા કેસ માટે FIR દાખલ કરી, જેનું પટના સાથે કોઇ કનેક્શન નથી. 


રિયાના વકીલે કહ્યું કે કહ્યું કે જો કેસને પટનાથી મુંબઇ પોલીસ પાસે ટ્રાંસફ કરવામાં નહી આવે તો રિયાને ન્યાય મળી શકશે નહી. વકીલે કહ્યું કે રિયા, સુશાંતને પ્રેમ કરતી હતી. તેને ટ્રોલ કરવામાં આવી રહી છે, તેને પ્રતાડિત કરવામાં આવી રહી છે. 


બિહાર સરકારે શું કહ્યું
બિહાર સરકારે વકીલ મનિંદર સિંહે સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાની દલીલ રજૂ કરતાં કહ્યું કે બિહાર સરકાર નહી પરંતુ મહારાષ્ટ્ર સરકાર રાજકીય દબાણમાં છે. જેને અત્યાર સુધી પણ સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે FIR દાખલ કરી નથી. 


સુપ્રીમ કોર્ટે રિયાના વકીલને પૂછ્યું કે શું આ યોગ્ય છે કે તમે પણ CBI તપાસ ઇચ્છતા હતા?


રિયાના વકીલે કહ્યું FIR ને પટનાથી મુંબઇ ટ્રાંસફર કરવામાં આવે, મહારાષ્ટ્ર સરકાર જે ઇચ્છે તે કરશે. તે ઇચ્છે તો તપાસ CBI ને સોંપી શકે છે.  


તેના બિહાર સરકારના વકીલે કહ્યું કે બિહાર પોલીસના એક આઇપીએસને મુંબઇમાં કોરોન્ટાઇન કરવાના નામે ડિટેન કરી રાખવામાં આવ્યા. આ બધી વાતોને સુપ્રીમ કોર્ટને ધ્યાનમાં રાખવી પડશે કે મહારાષ્ટ્ર સરકારનું કેસને લઇને શું વલણ છે.


મહારાષ્ટ્ર સરકારે શું કહ્યું?
મહારાષ્ટ્ર સરકારના વકીલે કહ્યું કે અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં એક જજની બેંચ કોઇ કેસને સીબીઆઇને સોંપવા માટે સુનાવણી ન કરી શકે. તેમણે કહ્યું કે આ મામલે બિહાર પોલીસની તપાસનો કોઇ અધિકાર ક્ષેત્ર નથી. તેમણે કહ્યું કે આ કેસમાં સીબીઆઇ પોતે સુપ્રીમ કોર્ટ પહોંચી છે જોકે સીબીઆઇ પોતે કોઇ કેસમાં સુપ્રીમ કોર્ટમાં પક્ષકાર ન બની શકે.


સુશાંતના વકીલે શું કહ્યું?
સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહ કહ્યું કે મીડિયામાં શું-શું રિપોર્ટ થઇ રહ્યા છે, હું તેને અહીં જણાવવા માંગતો નથી. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પુત્રનું નામ પણ આવી રહ્યું છે. વકીલ વિકાસ સિંહે કહ્યું કે સુશાંતને પરિવારથી દૂર કરવામાં આવી રહ્યો હતો. પિતાએ વારંવાર પૂછ્યું કે મારા પુત્રની શું સારવાર થઇ રહી છે? મને ત્યાં આવવા દો. પરંતુ કોઇ જવાબ ન મળ્યો. કેસમાં ઘણા પાસા તપાસના લાયક છે. 


સુનાવણીના અંતમાં રિયાના વકીલે કહ્યું કે અમારી માંગના અનુસાર કેસ મુંબઇ ટ્રાંસફર થાય, આગળ જે કરવાની જરૂર હોય તે ત્યારબાદ થાય. આ કેસમાં બીજા રાજ્યમાં FIR દાખલ થઇ છે અને પછી તેને CBI ને ટ્રાંસફર કરવામાં આવી. તેની પરવાનગી આપવી ન જોઇએ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube