નવી દિલ્હી: અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ના એક ટીવી ઈન્ટરવ્યુ બાદ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની બહેન શ્વેતા સિંહએ તેના પર નિશાન સાધ્યું છે. શ્વેતાએ કહ્યું કે 'તારામાં એટલી હિંમત છે કે મીડિયામાં આવીને મારા ભાઈના મોત બાદ તેની પવિત્ર છબીને ખરાબ કરે. તને શું લાગે છે, ભગવાન આ બધુ નથી જોઈ રહ્યો જે તે કર્યું છે.' સુશાંતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ રિયાની ધરપકડની માગણી કરતી ટ્વિટ કરી. તેણે લખ્યું કે 'કાશ મારો ભાઈ તે છોકરીને ન મળત. તેની મરજી વગર તેને ડ્રગ્સ આપવું અને પછી તેને વિશ્વાસ અપાવો કે તું બીમાર છે અને પછી તેને ચિકિત્સક પાસે લઈ જવો. કયા સ્તરની આ હેરાફેરી છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rhea Chakraborty પર સુશાંતના પિતાનો મોટો આરોપ, બોલ્યા-'મારા પુત્રને ઝેર આપતી હતી'


સુશાંત જ કેમ, કોઈ પણ પરિવારનો ચિરાગ જો દુનિયામાંથી ગયા બાદ કોઈ તેને બદનમ કરે, તેના અંગે ખોટી વાત કરે તો કોઈને પણ ગુસ્સો આવશે. ખોટું લાગશે. પીડા થશે, કષ્ટ થશે. આ તકલીફ રિયાના ઈન્ટરવ્યુ બાદ સુશાંતની બહેન શ્વેતાને થઈ રહી છે. ભગવાન પર ભરોસો છે, અને ઉપરવાળો બધુ જોઈ રહ્યો છે. 


અમદાવાદની દીકરી માધવી ભટ્ટના ક્રિએશનવાળી વેબસિરીઝ 'આશ્રમ', 28મીએ આ OTT પ્લેટફોર્મ પર જુઓ નિ:શૂલ્ક


રિયાએ સુશાંતને ડિપ્રેસ ગણાવ્યો
રિયાએ સુશાંતને ડિપ્રેસ ગણાવ્યો, મેન્ટલ હેલ્થનો દર્દી અને  claustrophobic એટલે કે બંધ કે સીમીત જગ્યા પર દમ ઘૂટતો હોય તેવું મહેસૂસ કરતો ગણાવ્યો. પરંતુ જે સુશાંત તેની બહેનો સાથે જાન્યુઆરીમાં પોતાના જન્મદિવસ પર ખિલખિલાટ હસતો હતો, ખુશ હતો તે શું ડિપ્રેશનનો શિકાર હોઈ શકે? જવાબ ના જોવા મળે છે. સુશાંતની બહેને જે લખ્યું તે દર્દ સમજો, તે કહી રહી છે કે તેને ભગવાન પર વિશ્વાસ છે અને તે જોશે કે ભગવાન રિયા સાથે શું કરે છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube