કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) પહેલા હલચલ તેજ થઈ ગઈ છે. સોમવારે કોલકત્તામાં કેન્દ્રીય મંત્રી દેબાશ્રી ચૌધરીના રોડશોમાં કેટલાક લોકોએ ભાજપના કાર્યકર્તાઓ પર ઈંટ અને પથ્થર ફેંક્યા હતા. આ લોકોના હાથમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ઝંડા હતા. હુમલા બાદ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ભાગદોડ મચી ગઈ હતી. આ રોડ-શોમાં પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ (Bengal BJP president Dilip Ghosh) અને હાલમાં ભાજપમાં સામેલ થયેલા સુવેંદુ અધિકારી હાજર હતા. સ્થળ પર તણાવ વચ્ચે મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારી પ્રમાણે સાઉથ કોલકત્તાના રાસબિહારી એવેન્યૂ અને ચારૂ માર્કેટ વિસ્તારમાં ભાજપનો રોડ શો હતો. ટોલીગંજ ટ્રોમ ડિપોથી શરૂ થયેલા રોડ-શોને રાસબિહારી એવેન્યૂ સુધી જવાનું હતું. જાણવા મળી રહ્યું છે કે આ વિસ્તાર મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત આવાસથી ખુબ નજીક છે. અચાનક અહીં ટીએમસીનો ઝંડા હાથમાં લઈ કેટલાક લોકોએ ભાજપના કાર્યકર્તાઓ પર ઈંટ અને પથ્થરથી હુમલો કરી દીધો હતો. ભાજપના કાર્યકર્તાઓએ કેટલાક હુમલાખોરોને પકડીને માર માર્યો હતો. આ ઘટના બાદ ત્યાં ભારે તણાવનો માહોલ છે. 


નંદીગ્રામથી ચૂંટણી લડશે Mamata Banerjee, શુભેંદુના ગઢમાં કર્યું શક્તિ પ્રદર્શન  


બંગાળની જનતા પરિવર્તન ઈચ્છે છેઃ અધિકારી
ભાજપ નેતા સુવેંદુ અધિકારીએ જણાવ્યુ કે, આ રેલીનું આયોજન કરવા માટે પોલીસ પાસે મંજૂરી લેવામાં આવી હતી. તેમ છતાં કેટલાક લોકો અહીં પથ્થર ફેંકતા જોવા મળ્યા છે. તેની આ રણનીતિ કામ નહીં આવે કારણ કે બંગાળની જનતા અમારી સાથે છે અને તે રાજ્યમાં પરિવર્તન ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે સોમવારે સુવેંદુ અધિકારીના વિધાનસભા ક્ષેત્ર નંદીગ્રામમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી એક રેલી કરવા પહોંચ્યા હતા. તેમણે જાહેરાત કરી કે તેઓ પોતાની પરંપરાગત ભવીનીપુર સીટ સિવાય નંદીગ્રામથી ચૂંટણી લડશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube