નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, આપણે આત્મનિર્ભર બનીને વિશ્વ માટે કંઇક સારૂ કરવા ઈચ્છીએ છીએ. આ દિશામાં કેટલાક નીતિગત સુધાર કરવામાં આવ્યા છે, જેમ કે 101 રક્ષા સામાનોની આયાત પર પ્રતિબંધ. અમે વાર્ષિક બજેટનો એક મોટો ભાગ માત્ર ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી પાસેથી ખરીદી માટે રાખ્યો છે. આ વર્ષે તે 52,000 કરોડ રૂપિયા હશે. અમે માત્ર મેક ઇન ઈન્ડિયા નહીં, મેક ફોર વર્લ્ડનો ગોલ હાસિલ કરવા ઈચ્છીએ છીએ. આ વાત તેમણે આત્મનિર્ભર ભારત પર આયોજીત વેબિનારમાં કહી હતી. આ સેમિનારમાં સીડીએસ જનરલ બિપિન રાવત અને અન્ય અધિકારીઓ પણ હાજર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આત્મનિર્ભર ભારતને સમર્થન આપવા માટે દ્રઢ છે ભારતીય સેનાઃ સીડીએસ
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યુ કે, ભારતે કોરોના વાયરસનો જે રીતે મુલાબલો કર્યો, તેનાથી આવી કોઈપણ અનપેક્ષિત ઘટનાને દૂર કરવાની આપણી મજબૂત ક્ષમતા દેખાડી છે. તેમણે કહ્યું કે, ભારત આજે ઘણા પડકાર અને ખતરાનો સામનો કરી રહ્યું છે. 


COVID-19 in UP: કોરોનાના ભરડામાં યોગી સરકાર, નવમાં મંત્રી થયા સંક્રમિત

તેમણે કહ્યું કે, ભારતીય સેનાઓ 'આત્મનિર્ભર ભારત'નું સમર્થન કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારતમાં વિકસીત ટેકનિક અને સાધનોની સાથે યુદ્ધમાં જીતવાધી વધુ સંતોષ અમને બીજો કોઈ હશે નહીં. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube