Yogi Government Scheme: અલગ અલગ વર્ગના લોકોના હિત માટે સરકાર તરફથી અનેક પ્રકારની સ્કીમ ચલાવવામાં આવી રહી છે. આ સ્કીમ દ્વારા લોકોને ખુબ લાભ પણ પહોંચાડવામાં આવે છે. યુપીની યોગી આદિત્યનાથ સરકાર તરફથી લોકોના હિતમાં અનેક પગલાં પણ લેવાઈ રહ્યા છે. જેમાંથી એક સ્કીમ લગ્ન સંલગ્ન પણ છે. લગ્ન કરવા બદલ સરકાર તરફથી લોકોને પૈસા આપવામાં આવી રહ્યા છે. જો કે આ રકમ મેળવવા માટે કેટલીક શરતોનું પાલન કરવું જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના
યુપી સરકાર તરફથી ઓક્ટોબર 2017થી "મુખ્યમંત્રી સામૂહિક લગ્ન યોજના" ચલાવવામાં આવી રહી છે. જે હેઠળ અલગ અલગ સમુદાય અને ધર્મોના રીતિ રિવાજો મુજબ લગ્ન સમારોહનું આયોજન થાય છે. આ યોજનાનો હેતુ જ એ છે કે વિવાહ ઉત્સવમાં તનારા જરૂરી પ્રદર્શન અને ફાલતુ ખર્ચને ઓછો કરવામાં આવે. 


આટલો મળશે ફાયદો
2 લાખ રૂપિયા વાર્ષિક આવકમર્યાદા હેઠળ આવતા તમામ વર્ગોના પરિવારોને આ યોજનાનો લાભ મળે છે. આ યોજના હેઠળ વિધવા, પરિત્યકતા, ડિવોર્સી મહિલાઓના લગ્નની પણ વ્યવસ્થા છે. આ યોજનામાં દાંપત્ય જીવનમાં ખુશહાલી અને ગૃહસ્થીની સ્થાપના હેતુ કન્યાના ખાતામાં 35000 રૂપિયાની રકમનું અનુદાન તથા વિવાહ સંસ્કાર માટે જરૂરી સામગ્રી જેમ કે કપડાં, વિછિયાં, પાયલ, વાસણો વગેરે માટે 10,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. 


સુપ્રીયાની ભવિષ્યવાણી સાચી ઠરી! શરદ પવારે NCP અધ્યક્ષ પદ છોડ્યું, હવે બીજો કયો ઝટકો?


કોંગ્રેસે બહાર પાડ્યું ઘોષણા પત્ર, 200 યુનિટ વીજળી ફ્રી, મહિલાઓને ફ્રી બસ મુસાફરી


કર્ણાટકમાં ગુજરાતવાળી ભૂલ નથી કરી રહી કોંગ્રેસ, દાવ પર લાગ્યો 38 વર્ષ જૂનો રેકોર્ડ


આ ઉપરાંત પ્રત્યેક કપલને વિવાહ આયોજન પર 6000 રૂપિયાની રકમ વપરાશ માટે પણ વ્યવસ્થા છે. આ પ્રકારની યોજના હેઠળ કપલને વિવાહ પર  કુલ 51,000 રૂપિયાની રકમની વ્યવસ્થા છે. આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે નગર પંચાયત, નગર પાલિકા પરિષદ, નગર નિગમ, ક્ષેત્ર પંચાયત, જિલ્લા પંચાયત સ્તર પર રજિસ્ટ્રેશન અને ન્યૂનતમ 10 કપલના વિવાહ પર સામૂહિક વિવાહ આયોજનની વ્યવસ્થા પણ કરાયેલી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube