PAN Aadhaar Voter ID Passport: દેશમાં વિવિધ હેતુઓ માટે ઘણા પ્રકારના દસ્તાવેજો બનાવવામાં આવે છે, તેમાંથી મોટાભાગના આઈડી પ્રૂફ તરીકે  આધારકાર્ડ, પાનકાર્ડ અને વોટર આઇડી કાર્ડનો ઉપયોગ થાય છે. આધાર કાર્ડ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ ખૂબ જ મહત્વના દસ્તાવેજો ગણવામાં આવે છે. દરેક ભારતીય આ દસ્તાવેજોનો ઉપયોગ કરોડો ભારતીયો કરે છે અને તમારે બેંક ખાતું ખોલાવવાથી લઈને સિમ કાર્ડ મેળવવા સુધીની દરેક વસ્તુ માટે તેની જરૂર પડે છે. જીવિત વ્યક્તિને દરેક સમયે પાન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે પાસપોર્ટની જરૂર હોય છે, પરંતુ મોત બાદ તેનું શું કરવું જોઈએ. આજે અમે તેના વિશે જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UIDAI: આધાર કાર્ડમાં કરેક્શન માટે આવી ગયા નવા ફોર્મ, થયો આ મોટો ફેરફાર
વોશિંગ મશીનમાં નાખો રસોડામાં પડેલી આ 2 વસ્તુ, સુગંધિત અને દૂધ જેવા ચમકશે કપડાં


જીવિત રહેતા તો બરાબર, પરંતુ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો તેની પાસે રહેલા ડોક્યૂમેન્ટ્સનો ખોટો ઉપયોગ થતો રોકવો મોટો સવાલ છે. અમે જણાવી દઈએ કે આપણા દેશમાં આ ડોક્યૂમેન્ટ્સને રદ્દ કરવાની કોઈ ગાઈડલાઈન નથી, પરંતુ કેટલીક રીત છે. જેનાથી તેનો ખોટો ઉપયોગ રોકી શકાય છે. 


કેન્સરથી માંડીને આંખ માટે ફાયદાકારક છે ગાયનું દૂધ, હાર્ટ અને હાડકાં બનશે મજબૂત
ગાયનું દૂધ સારું કે ભેંસનું દૂધ? બંને દૂધમાં શું છે તફાવત, સ્વાસ્થ્ય માટે કયું સારુ


કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના આધાર કાર્ડનો ખોટો ઉપયોગ ન થાય તે માટે UIDAI ને જાણ કરો, જેથી તેના આઈડી પ્રૂફનો ખોટો ઉપયોગ ન થઈ શકે. આધાર કેન્સલ ન થઈ શકે પરંતુ UIDAI એ લોક કરવાની સુવિધા આપી છે. 


15 રૂપિયાવાળો પેની સ્ટોક, દરરોજ લગાવી રહ્યો છે અપર સર્કિટ, 3 વીકમાં પૈસા થયા ડબલ
Gold Price: જાન્યુઆરીમાં 1500 રૂપિયાથી વધુ સસ્તુ થયું સોનું, આ રહ્યા 5 મુખ્ય કારણો


કોઈ વ્યક્તિના મોત બાદ પાન કાર્ડને સરેન્ડર કરી શકાય છે. તે માટે મૃતકના પરિવારજનોએ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવો પડશે. ત્યારબાદ પાન કાર્ડને બ્લોક કરી દેવામાં આવશે અને કોઈ તેનો ઉપયોગ કરી શકશે નહીં. 


કોઈના મૃત્યુ બાદ વોટર આઈડીનો ખોટો ઉપયોગ રોકવો જરૂરી છે. તે માટે તમારે ચૂંટણી પંચના કાર્યાલયમાં જઈને ફોર્મ-7 ભરવું પડશે. ત્યારબાદ આ કાર્ડ રદ્દ થઈ જશે. તે માટે મૃતકના મૃત્યુ પ્રમાણપત્રની જરૂર પડશે. 


10 પાસને પરીક્ષા આપ્યા વિના મળશે નોકરી, ઉતાવળ રાખજો! ફોર્મ ભરાવવાનું થઇ ગયું છે શરૂ
દરરોજ ફક્ત 170 રૂ.ની બચતથી બનાવી શકો છો 1 CR સુધીનું ફંડ, જાણો રોકાણનો હિટ ફોર્મૂલા


આધારની જેમ કોઈ વ્યક્તિના પાસપોર્ટને રદ્દ કરવાને લઈને કોઈ યોજના નથી. જ્યારે પાસપોર્ટની સમય મર્યાદા સમાપ્ત થઈ જાય તો તે ડિફોલ્ટર તરીકે અમાન્ય થઈ જાય છે. તેથી પાસપોર્ટને સંભાળીને રાખવો જોઈએ, જેથી ખોટા વ્યક્તિના હાથમાં ન આવે.  


પ્રાણ પ્રતિષ્ઠા સમયે મૂર્તિની આંખો પર કેમ બાંધવામાં આવે છે પાટા, જાણો શું છે રહસ્ય
ડાબા હાથમાં ધનુષ, ભગવાન વિષ્ણુના 10 અવતાર, આવી છે રામલલાની 200 કિલોની મૂર્તિ


પાન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ અને પાસપોર્ટ જેવા દસ્તાવેજો દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે. આ દસ્તાવેજો વિના નાણાકીય વ્યવહારો સહિત અનેક મહત્વના કામો અટવાઈ જાય છે. આના દ્વારા સરકારી યોજનાઓનો લાભ પણ મળે છે. તેથી, તે મહત્વપૂર્ણ બની જાય છે કે તમે તેમને સાચવો, જેથી તેનો દુરુપયોગ ન થાય.


પારસનો પથ્થર સાબિત થયો આ શેર, 400 ટકા આપી ચૂક્યો છે રિટર્ન, 1 મહિનામાં 51% નો વધારો
પેટ્રોલ પંપ પર મફત મળશે આ સુવિધાઓ, ખૂબ ઓછા લોકોને હોય છે જાણકારી