આશકા જાની/અમદાવાદ :દિવાળીના પર્વની ઉજવણીને લઈ ઘણી મૂંઝવણ છે. ક્યારે ધનતેરસની ઉજવણી કરવી અને ક્યારે નવા વર્ષ ઉજવણી કરી, અને ક્યારે નવા મુહૂર્ત કરવા તેને લઈને આ દિવાળીએ લોકોમાં અસમંજસ છે. કારણ કે, આ વર્ષે વાઘ બારસ અને ધનતેરસના મુહૂર્ત એક જ દિવસે આવે છે. આ જ મૂંઝવણ નવા વર્ષ અને ભાઈબીજ માટે પણ છે. જેથી મૂંઝવણ ઉભી થઇ છે. જો આ કન્ફ્યુઝન તમને પણ હોય તો આ આર્ટિકલ તમારું કન્ફ્યુઝન દૂર કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્રી ચેતન પટેલ જણાવે છે કે, આ વર્ષે દિવાળીના પર્વની ઉજવણી ક્યારે કરવી તેને લઈ ખૂબ મોટી મૂંઝવણ છે. કયા દિવસે ભગવાન કુબેરની પૂજા કરવી અને કયા દિવસે ધનતેરસની ઉજવણી કરવી એ અંગે કન્ફ્યુઝન છે. ક્યારે નવા વર્ષે ભગવાનના આશીર્વાદ લેવા માટે મંદિરમાં જવું અને ક્યારે ભાઈબીજની ઉજવણી કરવી આ તમામ સવાલોનો જવાબ મળી ગયો છે. ધનતેરસની ઉજવણી 22 ઓક્ટોબર, શનિવારના દિવસે સાંજે 6.02 મિનિટથી થાય છે અને ત્યારબાદના શુભ મુહૂર્તમાં લક્ષ્મી પૂજન કરી શકશે. 


આ પણ વાંચો : શિવરાજના ગીતા જિહાદ નિવેદન પર હર્ષ સંઘવીનો જવાબ, કહ્યું-જ્યારે ચૂંટણી આવે ત્યારે...


ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજાના શ્રેષ્ઠ મુહૂર્ત 


  • સમય સાંજે 6.07 થી 7.41 લાભ રાત્રે 9.16 થી 10.50 શુભ

  • રાત્રે 10.51 થી 12.24 અમૃત

  • રાત્રે 12.25 થી 01.58 ચલ 


કાળીચૌદશ ના દિવસની ઉજવણી 23 ઓક્ટોબર રવિવારના દિવસે સાંજે 6.03 મિનિટ પછી ચૌદશ શરુ થશે. તેથી સાંજે અને રાત્રે મહાકાલી હનુમાનજી બટુક ભૈરવ, કાલભૈરવ વીર, અને દશ મહાવિદ્યાની આરાધના તેમજ તંત્ર મંત્ર યંત્ર સાધના તેમજ તાંત્રિક ઉપાસના માટે ઉત્તમ મુહર્ત ગણાય. ફેક્ટરીમાં મશીનરી તેમજ યંત્રપૂજા માટે પણ ઉત્તમ ગણવામાં આવશે.  


આ પણ વાંચો : 2G ઇથેનોલ પ્લાન્ટ ભારતનો નવો અધ્યાય લખશે, હવે પેટ્રોલની આયાત પર મૂકાશે કાપ


દિવાળીના પર્વ પછીનો દિવસ પડતર ગણવામાં આવ્યો છે. દિવાળીના પર્વની ઉજવણી 24 ઓક્ટોબર સોમવારના રોજ સાંજે 5.27 મિનિટથી શરૂ થશે. માટે ચોપડા પૂજનનું મુહર્ત ત્યારબાદ શરૂ થશે. જ્યારે દિવાળી બાદ બીજો દિવસ આપણે સામાન્ય રીતે નવા વર્ષ તરીકે ઉજવણી કરીએ છીએ. પરતું આ વર્ષે 25 ઓક્ટોબર મંગળવારના દિવસે સૂર્યગ્રહણ હોવાથી પડતર દિવસ ગણાશે. જ્યારે નવા વર્ષની ઉજવણી અને પેઢી ખોલવાનું મુહૂર્ત 26 ઓક્ટોબર બુધવારના દિવસે થશે. જ્યારે ભાઈબીજની ઉજવણી 27 ઓક્ટોબર ગુરૂવારે કરવામાં આવશે.   


હવે દિવાળીની ઉજવણીની તમારી મૂંવણનો અંત આવ્યો છે. દિવાળી અને નવા વર્ષની ઉજવણી વચ્ચે એક પડતર દિવસ છે. માટે એક દિવસ છોડીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે.