Black Tea With Vitamin C: ભારતમાં ચા પીનારાઓની કોઈ કમી નથી, તે પાણી પછી બીજા નંબરનું સૌથી વધુ વપરાતું પીણું છે. લોકો સવારથી સાંજ સુધી ઘણા કપ ચા પીતા હોય છે, જો કે સ્વાસ્થ્ય નિષ્ણાતો હંમેશા આ અંગે ચેતવણીઓ આપે છે. વધારે પ્રમાણમાં દૂધ અને ખાંડવાળી ચા પીવાથી ડાયાબિટીસ અને કબજિયાતનું જોખમ વધે છે, તેથી જ ઘણા લોકો બ્લેક ટીને આરોગ્યપ્રદ વિકલ્પ તરીકે પસંદ કરે છે, પરંતુ શું બ્લેક ટી સલામત છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટીપ્સ અપનાવશો તો બેંક એકાઉન્ટ અને ખિસ્સું હંમેશા રહેશે ભરેલું, અપનાવો આ આદતો
Watch: 2 બોલમાં SRH ને જોઇતા હતા 5 રન, આ કેચે પલટી દીધી મેચ, જુઓ અંતિમ ઓવરનો રોમાંચ
 


બ્લેક ટી અને લીંબુનું મિશ્રણ
જે લોકો દૂધ અને ખાંડવાળી ચાના જોખમને ઓળખે છે, તેઓ ઘણીવાર બ્લેક ટીનું સેવન કરે છે અને તેમાં લીંબુ ભેળવવાનું ભૂલતા નથી. ઉલ્લેખનીય છે કે, લીંબુને વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ જ કારણ છે કે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન લોકો ઉકાળો પીવાનો આગ્રહ કરી રહ્યા હતા, પરંતુ એવું જરૂરી નથી કે તેનાથી તમને હંમેશા ફાયદો થાય.


ગુજરાતમાં અહીં ધગધગતા અંગારા પર ચાલવાની અનોખી પરંપરા, માનતા માટે લાગે છે લાઇનો
હોલિકા દહનનો પાકિસ્તાન સાથે છે સીધો સંબંધ,પ્રહ્લાદે વર્ષો પહેલાં બનાવ્યું હતું મંદિર


'કિડનીને થશે નુકસાન'
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક સમાચાર અનુસાર, મુંબઈના રહેવાસીના પગમાં સોજા આવવા લાગ્યા, આ સિવાય ઉલ્ટી, ભૂખ ન લાગવાની ફરિયાદો મળી. તપાસમાં જાણવા મળ્યું કે તેની કિડની બરાબર કામ કરી રહી નથી. જ્યારે આ વ્યક્તિની ડાયટ હિસ્ટ્રી તપાસવામાં આવી તો જાણવા મળ્યું કે તે બ્લેક ટીની સાથે વિટામિન સીનું સેવન કરતો હતો. જો કે આ કોઈ અલગ કેસ નથી, પરંતુ ઘણા લોકો એવા છે જેઓ લીંબુ અને ઉકાળો પીને પોતાની કિડનીને નુકસાન પહોંચાડી રહ્યા છે.


કિડનીમાં પથરી હોય તો પીવો આ જ્યૂસ, અઠવાડિયામાં ભુક્કો થઇને નિકળી જશે બહાર
Belly Fat: પેટની ચરબીને ઓછી કરવા માટે નાશ્તામાં ખાશો આ વસ્તુઓ, બેલી ફેટમાંથી મળી શકે છે છુટકારો


આવા જોખમોથી સાવધ રહો
જે લોકો લીંબુનો ઉકાળો વધારે પીવે છે તેઓનું ક્રિરેટિનિન (Creatinine) વધી શકે છે, જેનું સ્તર સામાન્ય રીતે 1 ની નીચે હોવું જોઈએ. કિડનીનું કામ શરીરના પ્રવાહીમાં રહેલી ગંદકીને સાફ કરવાનું છે, જો તેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આખા શરીરને અસર થઈ શકે છે.


સ્કૂલમાં ઇશ્ક લડાવવા લાગી હતી આ હસીના, લવ લેટર પકડાયો તો મમ્મી-પપ્પાની પડી માર
ખતમ થઇ શત્રુ ગ્રહ શનિ-સૂર્યની ખતરનાક યુતિ, ચમકાવશે આ 3 રાશિઓના ભાગ્ય


મોટાભાગના સ્વાસ્થ્ય નિષ્ણાતો માને છે કે જો કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એટલા માટે તમારે ડૉક્ટરની સલાહ લીધા પછી જ સીમિત માત્રામાં ઉકાળો પીવો જોઈએ. જો વિટામીન સીનું સેવન વધી જાય તો શરીરમાં ઓક્સાલેટનું પ્રમાણ વધી જાય છે, જેનાથી કિડનીમાં ઈન્ફેક્શન થઈ શકે છે અને કિડની ફેલ પણ થઈ શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)