ઝી ન્યૂઝ/નવી દિલ્હી: પ્રેશર કૂકર દરેક રસોડાનો આવશ્યક ભાગ છે. તેનો ઉપયોગ લગભગ દરરોજ થાય છે. કારણ કે તેમાં રાંધવું ખૂબ જ સરળ છે. ઉપરાંત, તે રસોઈમાં ઓછો સમય લે છે. પણ આવું ત્યારે જ થઈ શકે જ્યારે કૂકરમાં કોઈ ખામી ન હોય. કૂકરમાં ખોરાક રાંધવા માટે યોગ્ય દબાણ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું પીએમ મોદી પણ માનહાનિના કેસમાં ફસાશે? કોંગ્રેસ નેતા કરશે મોદી સામે ફરિયાદ


કૂકરની સીટી આનો પુરાવો છે. એટલા માટે લોકો કેટલી વાર વ્હિસલ વાગે છે તેના પર ધ્યાન આપે છે. આ કારણોસર, જ્યારે સીટી વાગતી નથી, ત્યારે ખોરાક ઘણીવાર બળી જાય છે. જો તમારા પ્રેશર કૂકરમાં પણ આ સમસ્યા થઈ છે, તો અહીં આપેલા ઉપાયો તમને મદદ કરી શકે છે.


કૂકરનું રબર ઢીલું
કૂકરના ઢાંકણ પરનું રબર અંદરની વરાળને બહાર નીકળતી અટકાવે છે. આના કારણે કૂકરમાં દબાણ વધે છે અને સીટી વાગે છે. જેથી તમને રસોઈ બનાવવાનો ખ્યાલ આવી શકે. આવી સ્થિતિમાં, જો આ રબર બગડી જાય અથવા ઢીલું થઈ જાય, તો કૂકરની સીટી વાગતી નથી. નવું રબર ખરીદતાં પહેલાં હંમેશા એક વાર ચેક કરો કે તે લૂઝ છે કે ક્ષતિગ્રસ્ત... 


રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ, માનહાનિ કેસમાં કોર્ટે ફટકારી હતી બે વર્ષની સજા


સીટીમાં ભરાતી ગંદકી
વરાળ અને ખોરાકના નાના-નાના કણોને કારણે સીટીમાં ગંદકી જમા થાય છે. જેના વજનને કારણે દબાણ હોય ત્યારે પણ તે વાગતી નથી. જેના કારણે તમને રસોઈ વિશે ખબર નથી પડતી અને તે બળી જાય છે. આ સ્થિતિમાં, સીટી સાફ કરવાથી કૂકરની સમસ્યાનો ઉકેલ આવી શકે છે.


મુંબઈમાં પરિણિતી ચોપરા સાથે જોવા મળ્યા  AAP નેતા રાઘવ ચઢ્ઢા, ડેટિંગની અટકળો થઈ તેજ


કૂકરને જરૂરિયાતથી વધારે ભરવું
કુકરમાં ખોરાકને તેની ક્ષમતા કરતાં વધુ રાંધવા માટે રાખવાથી પણ સીટી ન વાગવાનું કારણ બની શકે છે. આમ કરવાથી કુકરનું પ્રેશર યોગ્ય માત્રામાં બનતું નથી. જેના કારણે સીટી ન વાગવી અને ખોરાક અધકચરો રહે છે. 


બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...


વધારે માત્રામાં પાણી
કૂકરમાં પાણી કે પ્રવાહીનું પ્રમાણ વધુ હોય તો પણ ક્યારેક કૂકરની સીટી વાગતી નથી. તેથી ખોરાકને રાંધવા માટે હંમેશા પૂરતા પ્રમાણમાં પાણી ઉમેરો.