Shani Upay: શનિ દોષ, સાડાસાતી કે ઢૈયાની સમસ્યાઓ આ ઘરના લોકોને નથી નડતી, શનિના ક્રોધથી બચાવે છે આ વસ્તુઓ

Sat, 14 Sep 2024-12:01 pm,

શનિની કૃપા હોય તો વ્યક્તિને અપાર ધન, સફળતા અને સમૃદ્ધિ મળે છે પરંતુ જો શનિની વક્ર દ્રષ્ટિ કોઈ પર પડતી હોય તો સમસ્યાઓનો અંત આવતો નથી. આ સ્થિતિમાં કેટલાક ઉપાય તુરંત કરી લેવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવાયું છે જેને ઘરમાં રાખવાથી શનિ સંબંધિત સમસ્યા નડતી નથી.

શનિ દેવ ક્યારેય એવા લોકોને કષ્ટ આપતા નથી જેઓ હનુમાનજીના ભક્ત હોય. તેથી ઘરમાં બજરંગ બલીની તસવીર કે મૂર્તિ રાખવી અને તેમની પૂજા કરવી. જો હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો.

શનિ દેવ ખુદ શિવભક્ત છે. તેથી શનિ સંબંધિત કષ્ટથી બચવું હોય તો ભોળાનાથની શરણ લેવી. મહાદેવની પૂજા કરવાથી, શિવલિંગ પર જળ અર્પણ કરવાથી શનિ સંબંધિત કષ્ટ દુર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે. 

શનિ યંત્ર ઘરમાં રાખી તેની પૂજા કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે. નિયમિત રાત્રે શનિ ચાલીસાનો પાઠ કરવાથી સુખ, સમૃદ્ધિ વધે છે.

શનિ દોષ હોય અથવા શનિ નબળો હોય તો નિષ્ણાંતની સલાહ લીધા પછી નિલમ રત્ન ધારણ કરવો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link