Powerful Mantra: હિન્દુ ધર્મમાં મંત્રને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. દૈનિક પૂજા પાઠથી લઈને વિશેષ મનોકામના પૂર્તિ માટે પણ મંત્ર નો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. આમંત્રો નો જાપ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ થાય છે અને પૂજા સફળ થાય છે. શાસ્ત્રો અનુસાર ઘરમાં નિયમિત મંત્ર જાપ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર વધે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષશાસ્ત્રમાં પણ જીવનની સમસ્યાઓને દૂર કરી અને સફળતા અપાવે તેવા શક્તિશાળી મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો તમે મહત્વના કામ માટે જતા હોય તો આ મંત્રનો જાપ કરીને જશો તો તેનાથી તમને કાર્યમાં સફળતા અચૂકથી મળશે. આ મંત્રનો જાપ વ્યક્તિને સફળતા ધન અને સમૃદ્ધિ આપે છે.


આ પણ વાંચો:


ગુરુ ગ્રહ વક્રી થઈ ધનના કરશે ઢગલા, તિજોરીમાં જગ્યા કરી રાખે આ 3 રાશિના લોકો


રાશિફળ 3 સપ્ટેમ્બર : મેષ રાશિ માટે દિવસ શુભ, રવિવાર કેટલો શુભ જાણવા વાંચો રાશિફળ


ઘરે કરો લડ્ડુ ગોપાલની પૂજા ત્યારે આ નિયમનું કરવું પાલન, શ્રીકૃષ્ણની થશે વિશેષ કૃપા


જો તમારું કોઈ કામ વારંવાર અટકતું હોય અને તેમાં બાધા આવતી હોય અથવા તો નોકરી માટે ઇન્ટરવ્યૂમાં વારંવાર નિષ્ફળતા મળતી હોય તો નીચે દર્શાવેલા કેટલાક મંત્રોમાંથી કોઈ એક મંત્રનો જાપ કરો. આ મંત્ર તમારા જીવનની સમસ્યાઓને દૂર કરીને સફળતા આપશે.


કાર્યમાં સફળતા માટે

શ્રી ગણેશાય નમ:


મહત્વના કાર્ય માટે બહાર જતા હોય ત્યારે પ્રથમ પૂજનીય ગણેશજીના આ મંત્રનો જાપ કરવો. ગણપતિજીના આ મંત્રનો જાપ 11 વખત કરીને ઘરેથી બહાર નીકળશો તો કાર્યોમાં આવતી બાધા દૂર થશે અને તમને કાર્યમાં સફળતા મળશે.


ભાગ્યોદય માટે મંત્ર

ॐ એં શ્રીં ભાગ્યોદયં કુરુ કુરુ શ્રીં એં ફટ


જો ભાગ્ય તમને સાથ આપતું ન હોય અને તમારે ભાગ્યના બંધ દરવાજા ખોલવા હોય તો નિયમિત રીતે આ મંત્રનો જાપ કરો. આ મંત્રનો 11, 21 કે 51 વખત છાપ કરવાથી જીવનમાં સકારાત્મકતા અને સુખ શાંતિ વધે છે. 


આ પણ વાંચો:


જન્માષ્ટમીની પૂજા ઘરે કેવી રીતે કરવી? શું ધરાવવું પ્રસાદમાં? જાણો પૂજાનું મુહૂર્ત


Astro Tips: કુંડળીમાં શનિ ગ્રહ હોય નબળો તો વ્યક્તિને સહન કરવી પડે છે આ 4 તકલીફો


દુર્ભાગ્યને કાયમ માટે દુર કરી શકે છે લવિંગનો આ નાનકડો ઉપાય, બદલી જશે તમારો સમય


જીવનની સમસ્યાઓ દૂર કરવા

રામ લક્ષ્મણૌ સીતા ચ સુગ્રીવો હનુમાન કપિ
પશ્ચૈતાન સ્મરતૌ નિત્યં મહાબાધા પ્રમુચ્યતે


જો તમારા જીવનમાં વારંવાર કોઈને કોઈ સમસ્યાઓ સામે આવતી હોય અને સફળતા મળવામાં પણ અનેક બાધાઓનો સામનો કરવો પડતો હોય તો આ મંત્રનો નિયમિત રીતે જાપ કરવો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)