Tulsi Plant Astro Remedies: સનાતન ધર્મમાં તુલસીના છોડને ખુબ જ પૂજનીય માનવામાં આવે છે. માન્યતાઓ મુજબ તેમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ છે. આવામાં આ છોડનું મહત્વ અનેક ગણું વધી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તુલસીને ઘરમાં લગાવીને રોજ તેની પૂજા કરવાથી ખુશહાલી આવે છે અને સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે. તેનાથી ધનલાભના યોગ બને છે અને નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે. જો કે અનેકવાર તુલસીની દેખભાળ કરવા છતાં પણ તુલસી સુકાઈ જાય છે. આવામાં તરત કઈક ઉપાય કરવા જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પધરાવી દેવા જોઈએ
તુલસીનો છોડ જો સૂકાવવા લાગે કે કરમાઈ જાય તો તેને પ્રગતિમાં આવનારી બાધા તરીકે જોવામાં આવે છે. આવામાં જો તુલસી કરમાઈ જાય તો તેના છોડને લઈને તરત પવિત્ર નદીમાં પધરાવી દેવા જોઈએ. નદી ન હોય તો કોઈ જળાશયમાં પણ પધરાવી શકાય. 


બીજા તુલસી
તુલસી સૂકાઈ જાય તો તેને જો નદીમાં પધરાવવા જઈ રહ્યા હોવ તો દિવસનું ધ્યાન રાખવું જરૂરી છે. તુલસીના છોડને રવિવારે નદીમાં પધરાવવા જોઈએ નહીં. તુલસી સૂકાઈ જાય તો તરત તે છોડની જગ્યાએ બીજો તુલસીનો છોડ લાવી દેવો જોઈએ. 


મૃત્યુ બાદ શરીર પર લગાવવામાં આવે છે આ લેપ અને કેમ માનવામાં આવે છે તેને જરૂરી?


ચેક કરો તમારા હાથનો અંગૂઠો, તમે બુદ્ધિશાળી છો કે મંદબુદ્ધિ, ધનવાન રહેશો કે ગરીબ..


દુશ્મન ગ્રહોની યુતિથી આ 4 રાશિવાળાના જીવનમાં ઉથલપાથલ સર્જાશે, 30 દિવસ સંભાળજો


ટિપ્સ
તુલસીના છોડમાં શિયાળામાં ઠંડું પાણી નાખવું જોઈએ નહીં. હૂંફાળું પાણી નાખવાથી પાંદડા કરમાતા નથી. તેની મંજરીઓને ઠંડીની ઋતુમાં હટાવી દેવી જોઈએ. કારણ કે તેના સૂકાઈ જવાથી તુલસી પણ સૂકાઈ શકે છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


આ વીડિયો પણ જુઓ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube