મૃત્યુ બાદ શરીર પર લગાવવામાં આવે છે આ લેપ અને કેમ માનવામાં આવે છે તેને જરૂરી?

What Is Embalming  : કોણ પણ જાણીતી વ્યક્તિના મૃત્યુ બાદ તેને અંતિમ દર્શમ માટે રાખવામાં આવે છે. જેથી તેના અંતિમ સંસ્કારમાં સમય લાગે છે. ત્યારે વ્યક્તિના મૃતદેહ પર એક ખાસ પ્રકારનો લેપ લગાવવામાં આવે છે. કોણ પણ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ તાત્કાલિક અંતિમ વિધિ કરવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સામાં અમુક દિવસો કે થોડા સમય બાદ અંતિમ વિધિ થાય છે. જેથી મૃત શરીર પર ખાસ પ્રકારનો લેપ લગાવાય છે. ત્યારે સવાલ એ થાય છે કે આ લેપ કેમ લગાવવામાં આવે છે. તેની શું જરૂર છે. અને તે શેમાંથી બને છે. તો આજે આપણે આવા જ કેટલા સવાલોના જવાબ મેળવીશું.

મૃત્યુ બાદ શરીર પર લગાવવામાં આવે છે આ લેપ અને કેમ માનવામાં આવે છે તેને જરૂરી?

What Is Embalming : કોણ પણ જાણીતી વ્યક્તિના મૃત્યુ બાદ તેને અંતિમ દર્શમ માટે રાખવામાં આવે છે. જેથી તેના અંતિમ સંસ્કારમાં સમય લાગે છે. ત્યારે વ્યક્તિના મૃતદેહ પર એક ખાસ પ્રકારનો લેપ લગાવવામાં આવે છે. કોણ પણ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ તાત્કાલિક અંતિમ વિધિ કરવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સામાં અમુક દિવસો કે થોડા સમય બાદ અંતિમ વિધિ થાય છે. જેથી મૃત શરીર પર ખાસ પ્રકારનો લેપ લગાવાય છે. ત્યારે સવાલ એ થાય છે કે આ લેપ કેમ લગાવવામાં આવે છે. તેની શું જરૂર છે. અને તે શેમાંથી બને છે. તો આજે આપણે આવા જ કેટલા સવાલોના જવાબ મેળવીશું.

લેપ શેમાંથી બને છે તે જાણવા પહેલા એ જાણી લો કે આ લેપને કોટિંગ એમ્બેલિંગ ફ્લુઈડ તરીકે ઓળખવામાં આવે છે. આ લેપ વિવિધ રસાયણો અને જીવાણુ નાશકોથી બનાવવામા આવે છે. જેને મૃતદેહને લાંબા સમય સધી રાખવાના કિસ્સામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

શેમાંથી બને છે આ લેપ:
ખાસ પદ્ધતિથી બનતો આ લેપ શરીરને સડવાથી બચાવે છે. એમ્બામીગ લેપને બનાવવા માટે ફોર્માલ્ડીહાઇડ, ગ્લુટેરાલ્ડીહાઇડ, મેથેનોલ સહિત અન્ય ઘણા સોલવન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ લેપને બનાવવા મોટાભાગે મિથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ લેપ તૈયાર થયા બાદ આખા શરીર પર લગાવવામા આવે છે.

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

લાંબ સમય સુધી સચવાય છે મૃતદેહ:
અમુક કિસ્સામાં મૃત્યુ બાદ શરીરને લાંબા સમય સુધી સાચવવાની ફરજ પડે છે. કોઈ જાણીતી વ્યક્તિનું નિધન થાય તો અંતિમ દર્શન માટે કે પછી મૃત વ્યક્તિના દેહને વતન લઈ જવા માટે લાંબો સમય લાગતો હોય છે. જેથી આટલા સમય સુધી મૃતદેહને સડવાથી બચાવવા માટે આ ખાસ પ્રકારનો લેપ લગાવાય છે.

કેવી રીતે કામ કરે છે લેપ:
મૃત શરીર પર લેપ લગાવ્યા પછી તરત જ ત્વચામા હાજર પ્રોટીન તૂટી જાય છે. આ લેપ બેક્ટેરિયાને ખોરાક બનાવતા અટકાવે છે. લેપને તૈયાર કરવા માટે વપરાતા ડીસઈમ્ફેકટેટ ત્વચા પર હાજર બેક્ટેરિયાને મારી નાખવાનું કામ કરે છે. જેનાથી શરીરને લાંબા ગાળા સુધી નુકસાનથી બચાવી શકાય છે. કેટલાક કિસ્સામાં મૃત્ય બાદ તપાસ માટે લાગતા સમયમાં પણ મૃતદેહને સાચવવા માટે આ લેપનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી મૃતદેહ સડે નહીં અને કામગીરી પૂર્ણ થયા બાદ તેની અંતિમવિધિ થઈ શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news