નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર હરભજન સિંહે ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી નામ પરત લઈને બધાને ચોકાવ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમનાર દિગ્ગજ સ્પિનરે અંગત કારણોસર ટૂર્નામેન્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર આપી હતી. હવે તે એક મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છે. તેના વિશે પણ ભજ્જીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભજ્જીએ સોશિયલ મીડિયા પર શનિવારે સાંજે એક સંદેશ આપીને કહ્યુ કે, ક્રિકેટ વિશે તેને એવુ કંઇક જાણવા મળ્યું છે જેનાથી ક્રિકેટ સંપૂર્ણ રીતે બદલી જશે તે પણ હંમેશા માટે. ભજ્જીએ કઈ તરફ ઈશારો કર્યો તેની તો માહિતી મળી નથી પરંતુ તેણે લખેલા મેસેજથી લાગે છે કે કંઇક મોટો ધમાકો થવાનો છે. ભારતીય સ્પિનરે શનિવારે ટ્વિટર પર એક સંદેશ આપીને બધાને વિચારતા કરી દીધા છે. 


વીરેન્દ્ર સેહવાગને કેપ્ટન બનાવવા ઈચ્છતી હતી CSK, પરંતુ થઈ ગઈ એમએસ ધોનીની એન્ટ્રી

ક્રિકેટમાં આજકાલ ઘણા સમાચાર છે અને હાલ મને કંઇક એવું જાણવા મળ્યું છે જે ક્રિકેટની તસવીર સંપૂર્ણ રીતે બદલી નાખશે. હવે એવી કઈ વાત છે જેનાથી ક્રિકેટમાં સંપૂર્ણ રીતે પરિવર્તન આવશે. તેને જાણવા માટે લોકો ઉત્સુક છે. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર