ચેન્નઈઃ શ્રીલંકાને ક્લીનસ્પીપ કર્યા બાદ ઈંગ્લેન્ડ  (England cricket players arrive in Chennai) ની ટીમ બુધવારે ભારત પહોંચી ગઈ છે. ભારત અને ઈંગ્લેન્ડ (India vs England Test Series) વચ્ચે ચાર મેચોની સિરીઝની શરૂઆતી બે ટેસ્ટ મેચો અહીં રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીથી શરૂ થશે. જો રૂટની આગેવાનીમાં ઈંગ્લેન્ડની ટીમ અને સપોર્ટ સ્ટાફ સવારે ચેન્નઈ પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નઈ પહોંચતા ટીમ થઈ ક્વોરેન્ટીન
ભારત પહોંચ્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ સીધી હોટલ પહોંચી જ્યાં બન્ને ટીમો માટે બાયો બબલ બનાવવામાં આવ્યું છે. ભારતીય બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma), વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane) કાલે રાત્રે અહીં પહોંચી ગયા જ્યારે ચેતેશ્વર પૂજારા  (Cheteshwar Pujara), જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને રિષબ પંત (Rishabh Pant) આજે સવારે પહોંચ્યા હતા. ટીમના કોચ રવિ શાસ્ત્રી મુંબઈથી અહીં પહોંચ્યા છે. ઈંગ્લેન્ડે ક્રિકેટે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટીમ ચેન્નઈ પહોંચી તેનો વીડિયો શેર કર્યો છે. 


Virat Kohli) બુધવારે સાંજે પહોંચશે. બન્ને ટીમો હોટલ લીલા પેલેસમાં રોકાય છે જ્યાં બાયો બબલ બનાવવામાં આવ્યું છે. ટીમો છ દિવસ સુધી ક્વોરેન્ટીન રહ્યા બાદ 2 ફેબ્રુઆરીથી પ્રેક્ટિસ કરશે. ટીમોના કોરોના ટેસ્ટ પણ થશે. સિરીઝની બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીથી રમાશે. ત્રીજી ટેસ્ટ ડે-નાઈટ હશે. સિરીઝની ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદમાં રમાશે. 


આ પણ વાંચોઃ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની તબીયત ફરી ખરાબ, એપોલો હોસ્પિટલમાં દાખલ  


બંન્ને ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર
ભારતીય ટીમે હાલમાં ઓસ્ટ્રેલિયાને ચાર મેચોની સિરીઝમાં તેની ધરતી પર 2-1થી પરાજય આપ્યો હતો તો ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકાને 2-0થી હરાવીને ભારત પહોંચી છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube