બેરૂત પોર્ટ પર લાગી ભીષણ આગ, સેનાએ આગ પર ઓલવવા હેલિકોપ્ટર મોકલ્યા
બેરૂત પોર્ટ પર દર્દનાક વિસ્ફોટો (Beirut Blast)માં 180 લોકોના મોત બાદ હવે અહીં એક ગોડાઉનમાં આગ લાગી ગઇ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
બેરૂત: બેરૂત પોર્ટ પર દર્દનાક વિસ્ફોટો (Beirut Blast)માં 180 લોકોના મોત બાદ હવે અહીં એક ગોડાઉનમાં આગ લાગી ગઇ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સેનાએ કથિત રીતે કહ્યું છે કે જે ગોડાઉનમાં એન્જીનનું તેલ અને વાહનના ટાયર રાખવામાં આવ્યા હતા, તે આગને ઘેરી લીધી.
સેનાએ કહ્યું કે તે આગ પર કાબૂ મેળવવા માટે હેલિકોપ્ટર મોકલી રહી છે. કથિત રીતે આગ પોર્ટના ડ્યૂટી ફ્રી ઝોનમાં લાગી છે.
તમને જણાવી દઇએ કે પોર્ટમાં 4 ઓગસ્ટના એક મોટો વિસ્ફોટ થયો હતો. પોર્ટ પર 2,759 ટનથી વધુ જ્વલનશીલ અમોનિયમ નાઇટ્રેટનો ભંડાર હતો. આ વિસ્ફોટ બાદ હસન દીબ (Hassan Diab)ના નેતૃત્વવાળી લેબનાન (Lebanon) સરકારને રાજીનામું આપવા માટે મજબૂર થવું પડ્યું હતું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube