નવી દિલ્હીઃ શ્રીલંકા હાલમાં જબરદસ્ત આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેનો પાડોશી દેશ ભારત તેના માટે સંકટમોચન બન્યું છે. હવે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને મહાન ખેલાડી સનથ જયસૂર્યાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા છે. તમને જણાવી દઈએ કે, જયસૂર્યા પોતાના સમયના મહાન ખેલાડીઓમાંથી એક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયસૂર્યાએ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી
શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ શ્રીલંકાને મદદ મોકલવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું છે કે તમે અમારા અદ્ભુત પાડોશી રહ્યા છો. અમારા દેશના મોટા ભાઈની જેમ જ મદદ કરી રહ્યા છો. આપણા માટે ટકી રહેવું સહેલું નથી. મને આશા છે કે ચીજો જલ્દી બદલાશે. ભારત અને અન્ય દેશોની મદદથી અમે આ સ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.


ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે શ્રીલંકા
શ્રીલંકાની સ્થિતિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા સનથ જયસૂર્યાએ જણાવ્યું છે કે લોકો આ રીતે જીવિત નહીં રહી શકે અને તેમને વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. ગેસ અને ઇંધણની અછત છે અને કેટલીકવાર 10-12 કલાક વીજ પુરવઠો પણ નથી. દેશ માટે હાલનો સમય ખુબ જ મુશ્કેલ છે. જયસૂર્યાએ વધુમાં જણાવ્યું છે કે, હું લોકોને હિંસક રીતે નહીં પણ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા કહેવા માંગુ છું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube