હવે ગરીબ- લાચાર વિદ્યાર્થીઓના સપના નહીં રોળાય! ગુજરાતના પાટીદાર વેપારીએ શરૂ કર્યું આ કામ

આવા સમયે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા હરેશભાઈ પટેલે પોતાના વ્યવસાયની સાથે સાથે વિદ્યાદાનનો દીપ પ્રગટાવ્યો છે. હરેશભાઈ પટેલ પાલનપુરના કોઝી વિસ્તારમાં પોતાની સ્ટેશનરીની દુકાન ધરાવે છે અને શાળાઓ ખુલવાના સમયે લોકો તેમની દુકાને પુસ્તક ખરીદવા પહોંચતા હોય છે.

હવે ગરીબ- લાચાર વિદ્યાર્થીઓના સપના નહીં રોળાય! ગુજરાતના પાટીદાર વેપારીએ શરૂ કર્યું આ કામ

અલ્કેશ રાવ/બનાસકાંઠા: ગુજરાતીમાં એક કહેવત છે કે વિદ્યા દાન એ મહાદાન પરંતુ 21 મી સદીમાં દિવસેને દિવસે મોઘુ દાટ થતું શિક્ષણ આ કહેવતને નકારી રહી છે, તેવામાં બનાસકાંઠાના એક સ્ટેશનરીના દુકાનદારે આ કહેવતને સાર્થક કરી છે. એવું તો શું કર્યું આ દુકાનદારે. કેવી રીતે કરી રહ્યો છે આ દુકાનદાર વિદ્યાદાન. કોને અને કેવી રીતે મદદરૂપ થઇ રહ્યો છે આ દુકાનદાર આવો જાણીએ.

ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાદાન એ મહાદાન છે પરંતુ એક તરફ 21મી સદીમાં દિવસેને દિવસે શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે અને તેવા સમયે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોના પોતાના સંતાનોને સારું શિક્ષણ અપાવવાના સપના રોળાઈ રહ્યા છે. શિક્ષણ એટલું મોંઘું થયું છે કે ગરીબ પરિવાર તો પોતાના બાળકોને શાળાએ મોકલવું તો દૂર પરંતુ પુસ્તક પણ ન ખરીદી શકે. તો મધ્યમ વર્ગના લોકો પણ પોતાનાં બાળકો માટે મોંઘાદાટ પુસ્તકો ખરીદવા મુશ્કેલ પડી રહ્યું છે. 

આવા સમયે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા હરેશભાઈ પટેલે પોતાના વ્યવસાયની સાથે સાથે વિદ્યાદાનનો દીપ પ્રગટાવ્યો છે. હરેશભાઈ પટેલ પાલનપુરના કોઝી વિસ્તારમાં પોતાની સ્ટેશનરીની દુકાન ધરાવે છે અને શાળાઓ ખુલવાના સમયે લોકો તેમની દુકાને પુસ્તક ખરીદવા પહોંચતા હોય છે. ત્યારે હરેશભાઈએ પોતાની દુકાનની આગળ જ એક સ્ટોલ તૈયાર કર્યો છે અને બુક બેંક ઊભી કરી છે જે બુક બેંકમાં પુસ્તક ખરીદવા આવતા લોકો પોતાની સાથે જુના પુસ્તકો લઈને આવે છે અને આ બુક બેંકમાં મૂકે છે જેથી મોઘાદાટ પુસ્તકો ન ખરીદી શકતા ગરીબ પરિવારના લોકો આ પુસ્તકો નિઃશુલ્ક લઈ જાય છે અને પોતાના બાળકોને શિક્ષણ અપાવે છે. તો અનેક લોકો પોતાના બાળકોના જુના પુસ્તકો અહીં મૂકી જાય છે જેથી જરૂરિયાત મંદ લોકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે.

જિલ્લામાં અનેક એવા પરિવારો છે કે જેમના બાળકોને સારું ભણી સારા એવા સ્તરે પહોંચવું છે, પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે આવા ગરીબ પરિવારના બાળકો પોતાના સપના સર કરી શકતા નથી અને આખરે મોંઘાદાટ થતા શિક્ષણને કારણે આવા ગરીબ પરિવારના બાળકોને પોતાના સપના તોડવા મજબુર બનતા હોય છે ત્યારે આવા પરિવારોના લોકોના સપના રોળાય નહિ તેને લઈ હરેશભાઈએ આ બુક બેંક તૈયાર કરી છે. જેમાં મોટાભાગના લોકો જોડાયા છે.

હરેશભાઈની દુકાને પુસ્તક ખરીદવા આવતા લોકો તેમની સાથે તેમના બાળકોના અભ્યાસના જુના થયેલા પુસ્તકો જે પસ્તીમાં વેચી દેતા પરંતુ હવે આ બુક બેંકમાં લઈને આવે છે અને આ બુક બેંકમાં મૂકી દે છે. તો સાથે જ એવા સ્લમ પરિવારના બાળકો પણ આ બુક બેંકમાં આવે છે કે જેમને પુસ્તકની જરૂર છે અને તેમને અહીંથી નિશુલ્ક પુસ્તક પણ મળી રહે છે અને તેઓ આ પુસ્તક થકી પોતાનો અભ્યાસ આગળ ધપાવી શકે છે. 

છેલ્લા 3 વર્ષથી ચાલતા હરેશભાઈના આ પુસ્તક બેન્ક થકી અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જેમના સપના રોળાઈ જાત પરંતુ આ બુક બેન્કમાંથી પુસ્તકો મેળવી આવ બાળકોના સપના સાકાર થયા છે.ત્યારે અત્યારે તો હરેશભાઈની આ બુક બેન્ક સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિસય બની છે. હરેશભાઈનું સપનું છે કે આવી બુક બેન્ક અનેક વિસ્તારોમાં શરૂ થાય તો અનેક બાળકો પોતાનું ભવિષ્ય બનાવી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news