ઇસ્લામાબાદઃ શિક્ષા કાર્યકર્તા અને નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યૂસુફઝઈએ શુક્રવારે બ્રિટનની પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયમાં દર્શનશાસ્ત્ર, રાજનીતિશાસ્તર અને અર્થશાસ્ત્રમાં પોતાની ડિગ્રી પૂરી કરી છે. તેણે શુક્રવારે ઉજવણી કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના સ્વાત ઘાટીમાં તાલિબાની આતંકીઓએ મલાલાના માથામાં ગોળી મારી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલાલા પર હુમલો યુવતીઓમાં શિક્ષણનું સમર્થન કરવા પર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તે વિશ્વભરમાં તાલિબાની ક્રૂરતાના શિકાર લોકોનું પ્રતિક બની ગઈ છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂટના રિપોર્ટ પ્રમાણે, મલાલાએ પોતાની ભાવના વ્યક્ત કરવા માટે ટ્વીટર પર પોતાના પરિવારની સાથે કેક કાપીને જશ્ન મનાવવાની તસવીર શેર કરી હતી. 


26/11 મુંબઈ હુમલાના મુખ્ય ષડયંત્રકાર તહવ્વુર હુસેન રાણાની અમેરિકામાં ધરપકડ  

જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube