Narendra Modi: પાકિસ્તાન ભૂખમરાની આરે પહોંચી ગયું છે. દેશના વડાપ્રધાને પણ સ્વીકાર્યું છે કે પાકિસ્તાન ભીખ માંગવા મજબૂર છે. ડૂબતી અર્થવ્યવસ્થા બાદ સમગ્ર પાકિસ્તાનમાં લોકો શહેબાઝ શરીફ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. પાકિસ્તાનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસામાં થઈ રહી છે. પાકિસ્તાની અખબારે  પીએમ મોદીના કાર્યોના વખાણ કરતાં કહ્યું છે કે ભારતનું ભવિષ્ય હાલમાં એક સારા નેતાના હાથમાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલીવાર ભારત અને ભારતના વડાપ્રધાનના વખાણ કરતા પાકિસ્તાનના એક અખબારમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદી ભારતને એવી ઊંચાઈ પર લઈ ગયા છે જ્યાંથી દેશ પોતાનો પ્રભાવ ફેલાવી શકે છે અને તેની શરૂઆત થઈ ચૂકી છે. પાકિસ્તાની અખબાર 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'માં પ્રકાશિત થયેલા એક લેખમાં લખ્યું છે કે, "PM મોદીના નેતૃત્વના કારણે જ ભારતની વિદેશ નીતિમાં સુધારો થયો છે અને દેશની GDP $3 ટ્રિલિયનને પાર કરી ગઈ છે."


આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
આ પણ વાંચો: કોણ છે ગૌતમ અદાણીના પુત્રવધુ પરિધિ શ્રોફ ? મોટા મોટા દિગ્ગજો પણ લે છે સલાહ
આ પણ વાંચો: Mukesh Ambani પાસે છે દુનિયાની સૌથી મોંઘી કારો : કારની કિંમત છે અધધ..બાપ્પા...


ભારત વૈશ્વિક સ્તરે મજબૂત બન્યું છે
જાણીતા રાજકીય, સુરક્ષા અને સંરક્ષણ વિશ્લેષક શહઝાદ ચૌધરીએ તેને 'સ્મારક વિકાસ' ગણાવીને 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન'માં લખ્યું છે કે, ભારત આ સમયે તમામ રોકાણકારો માટે પ્રિય સ્થળ બની ગયું છે. તેમણે લેખમાં ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે PM મોદીની અધ્યક્ષતામાં ભારતે વિદેશ નીતિના મોરચે પોતાનું અલગ ક્ષેત્ર સ્થાપિત કર્યું છે, એટલે કે બદલાતા સમયમાં પણ ભારતે વૈશ્વિક સ્તરે પોતાનો પ્રભાવ વધાર્યો છે. વૈશ્વિક મંચો પર ભારતની સ્વીકૃતિ વધી છે. વિદેશ નીતિના મામલે ભારતની સર્વોપરિતા વધી છે.


આ પણ વાંચો: ખેતી કરીને કરોડપતિ બનવાનો આ છે કારગર ઉપાય, સ્વાદ અને સુગંધની દુનિયા છે દિવાની
આ પણ વાંચો: ભગવાન શિવનો આ સ્ત્રોત છે એકદમ શક્તિશાળી તેના જાપથી થાય છે ધનના ઢગલા
આ પણ વાંચો: સરકારે સ્વિકારી કોરોના રસીની સાઇડ ઇફ્કેટની વાત, કહ્યું વેક્સીનના ઘણા છે દુષ્પ્રભાવ


ભારત એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ અને આઈટી ઈન્ડસ્ટ્રીનું મોટું હબ રહ્યું છે. આ લેખમાં લખવામાં આવ્યું છે કે કૃષિ ક્ષેત્રે ભારતની પ્રતિ એકર ઉપજ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે અને 1.4 અબજની વસ્તી હોવા છતાં ભારતમાં પ્રમાણમાં સ્થિર, સુસંગત અને કાર્યકારી રાજનીતિ છે.


પીએમ મોદીએ એ કરી બતાવ્યું જે કોઈ પીએમ નથી કરી શક્યા
આંકડાઓને ટાંકીને શહઝાદ ચૌધરીએ તેમના લેખમાં કહ્યું કે ભારતની નરેન્દ્ર મોદી સરકાર સમયની કસોટી પર ખરી ઉતરી છે. તેમણે લખ્યું, 'મોદીએ ભારતને એક બ્રાન્ડ બનાવવા માટે એવા કામ કર્યા છે, જે તેમનાં પહેલાં કોઈ કરી શક્યું નથી. ખાસ વાત એ છે કે ભારતને જે ગમે છે અને જે જોઈએ છે તે કરે છે.


આ પણ વાંચો: રાત્રે મોજા પહેરીને સુવું યોગ્ય છે કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન
આ પણ વાંચો: દેશની આ 3 બેંકો પર ભરોસો કરો ક્યારેય નહીં ડૂબે રૂપિયા, RBIએ આપી ગેરંટી
આ પણ વાંચો: BSNL ના આ પ્લાન આગળ Vi, Airtel, Jio ના બધા જ પ્લાન ફેલ, જાણો ખાસિયતો


નવેમ્બર મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી હતી અને તેને સંપૂર્ણ સ્વતંત્ર ગણાવી હતી. વિદેશ નીતિ અલગ છે, કારણ કે અમેરિકાના વિરોધ છતાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાના નિર્ણય પર અડગ છે.


ઑક્ટોબર 2022 માં પણ ઇમરાન ખાને ભારતની વિદેશ નીતિના વખાણ કરતાં કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી પોતાની મરજીથી તેલ ખરીદવા સક્ષમ હતું, જ્યારે પાકિસ્તાન પશ્ચિમનું ગુલામ હતું કારણ કે તે તેના લોકોના કલ્યાણ માટે નિર્ભય નિર્ણયો લેવામાં અસમર્થ હતું.


આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિયા
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube